મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા અતિંમ પગલુ ભર્યુ-મોત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રસૂતિની સારવાર દરમિયાન મહિલાનું મોત 


SHARE











મોરબીમાં પ્રસૂતિની સારવાર દરમિયાન મહિલાનું મોત 

મોરબીની ખાનગી હોસ્પિટલમાં એડમિટ થયેલ પ્રસુતા મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે શહેરના શનાળા રોડ પર આવેલ કલરવ હોસ્પિટલમાં ડો.જયેશ પનારાને ત્યાં પ્રસૂતિ માટે આવેલા જોશનાબેન ઉર્ફે જયોત્સનાબેન અમુભાઈ છૈયા જાતે આહિર (ઉમર ૩૭) રહે.નવા નાગડાવાસ (રામપર) તાલુકો જીલ્લો મોરબીનું તા.૧૯-૮ ના સાંજના પોણા સાતેક વાગ્યાના અરસામાં પ્રસુતિની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે નોંધ કરવામાં આવતા હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઇ ગોહિલે બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

મહિલા સારવારમાં

મોરબી નજીકના જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના મોરાણા ગામે રહેતી મીનાબેન પ્રતાપભાઈ ચવાટીયા નામની ૩૮ વર્ષીય મહિલાએ કોઈ કારણોસર તેના ઘરે ફિનાઇલ પી લેતા ગત મોડીરાત્રીના અહિંની મંગલમ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઇ ગોહિલે પ્રાથમિક તપાસ કરી હતી.જ્યારે મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં આવેલ કુબેરનાથ શેરીમાં રહેતો ફાજુભાઇ ઉર્ફે ફૈઝલ તારમામદભાઇ ગોપલાણી મુસ્લિમ (૪૫) નામનો યુવાન મોરબીની નવયુગ કાપડની દુકાન પાસે હતો ત્યાં મારામારીના બનેલા બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા ફાજુભાઈને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીની ઘાંચી શેરીમાં રહેતા દાઉદભાઈ સુલેમાનભાઈ ઉમરેટિયા નામના ૬૯ વર્ષીય વૃદ્ધ બાઇક લઇને જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. બાઈક સ્લીપ થઈ જવાના કારણે જમણા હાથના ભાગે ઈજાગ્રસ્ત થયેલા દાઉદભાઈ ઉમરેટીયાને અહિંની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.તેમજ મોરબી નજીકના ચરાડવા ગામે ઘનશ્યામભાઈ સોનગરાની વાડી રહીને મજૂરીકામ કરતાં જેલુંભાઇ નાયકરામ બાંમણીયા આદિવાસી નામના ૩૦ વર્ષના યુવાનને મજુરી કામ દરમ્યાનમાં સાપ કરડી ગયો હોય તેને ચરાડવા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લીધા બાદ વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે વધુ સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News