મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ: પીપળી ગામે મંદિર પાસેથી બાઈકની ચોરી મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર
Breaking news
Morbi Today

મોરબીના સરા ગામ નજીક નર્મદા કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત 


SHARE













મોરબીના સરા ગામ નજીક નર્મદા કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત 

 

મોરબીના હળવદ તાલુકામાં સરા રોડ ઉપર આવેલ નર્મદા કેનાલમાં પાણી ભરવા જતાં સમયે પગ લપસી જતાં ડૂબી જવાથી યુવાનનું મોત નિપજેલ છે. હળવદ પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હળવદના સરા રોડ ઉપર આવેલ નર્મદાની કેનાલમાં પાણી ભરવા માટે ગયેલા ચેતનસિંહ જગદીશસિંહ ગોહિલ દરબાર (૩૬) ધંધો ખેતી હાલ રહે. હળવદ હરીનગર ગોલ્ડ સરા રોડ મૂળ રહે.મૂળ રહે મગલાણા તાલુકો શિહોર જી.ભાવનગર કેનાલમાં ડૂબી ગયા હતા જેથી કરીને ચેતનસિંહ ગોહિલનું મોત નિપજેલ છે બનાવ અંગે મૃતકના સંબંધી મહેન્દ્રસિંહ ગોહિલે હળવદ પોલીસને જાણ કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી નજીકના શકત શનાળા ગામના રહેવાસી મહાવીરસિંહ જુવાનસિંહ ઝાલા નામનો ૩૮ વર્ષીય યુવાન ગઇકાલ તા.૧૯ ના ૭:૩૦ વાગ્યે લક્ષ્મીનગરના ઓવરબ્રીજની પાસેથી પગપાળા જતો હતો ત્યારે ત્યાં કોઈ અજાણી કારના ચાલકે તેને હડફેટે લેતા ઇજાગ્રત થયેલા મહાવીરસિંહ જુવાનસિંહ ઝાલાને અહિંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયો હતો. બનાવ સંદર્ભે તાલુકા પોલીસને જાણ થતાં હાલમાં બીટ જમાદાર એમ.એલ.બારૈયાએ બનાવની આગળની તપાસ શરૂ કરી છે.

યુવાન સારવારમાં

મોરબી નજીકના આમરણ ગામે આવેલ એસવીએલ કન્ટ્રકશન નામના યુનિટના લગાવવામાં આવેલા કેમ્પમાં સાપ કરડી જવાથી નિરવકુમાર વૃંદાવનકુમાર નામના ૨૮ વર્ષીય યુવાનને હાલમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે નટરાજ ફાટક નજીક બાઈક અને રિક્ષા વચ્ચે સર્જાયેલ અકસ્માતનાં બનાવમાં મોરબીના પ્રેમજીનગરના દિનેશ કાનજીભાઇ પરમાર નામના ૩૫ વર્ષના યુવાનને ઇજાઓ થતાં તેને સારવારમાં ખસેડાયો હતો.






Latest News