મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના ગાળા પાસે કારખાનામાં યુવાને કર્યો આપઘાત


SHARE







મોરબીના ગાળા પાસે કારખાનામાં યુવાને કર્યો આપઘાત

મોરબી તાલુકાના ગાળા ગામ પાસે આવેલ એડીકોન સીરામીકના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા મજૂરે કોઈ કારણોસર કવાર્ટરમાં ગળાફસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેને મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમમાં લઇ આવ્યા હતા અને ત્યારબાદ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના ગાળા ગામ પાસે આવેલ અડીકોન સીરામીકના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો પવનભાઈ રાજુભાઈ નાયક (ઉંમર ૨૨) નામનો યુવાન પોતાના લેબર કવાર્ટરમાં હતો ત્યારે તે ગળાફાંસો ખાઈ ગયો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું.ત્યારબાદ તેના પિતા રાજુભાઈ મૃતક પવનભાઇની ડેડબોડીને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં હાલમાં મોરબી તાલુકા પોલીસ મથકના ફિરોઝભાઇ સુમરા દ્વારા તપાસ કરવામાં આવતા ખુલ્યુ હતુ તે આર્થિક કારણોસર મૃતકે અંતિમ પગલું ભરી લીધું હતું.

બાળકી-સગીર સારવારમાં

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામે રહેતા સુરેશભાઈ ધાંણકની અઢી વર્ષીય દીકરી રીયા પાણી ભરેલી ડોલમાં પડી ગઈ હતી જેથી કરીને તેણીને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.જ્યારે મોરબી તાલુકાના માનસર ગામના રહેવાલી અનિલ નિતેષભાઈ જાતે દેવીપુજક નામના ૧૫ વર્ષીય સગીરને ટંકારા તાલુકાના ઘુનડા ગામે ખેતરમાં ડાબા હાથના ભાગે સાપ કરડી જતા તેને અહીંની આયુષ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.એ ડિવિઝન પોલીસ મથકના પ્રદીપભાઈ બોરાણા દ્વારા બંને બનાવો અંગે નોંધ કપીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

ટંકારાના રહેવાસી રાકેશ ગુલાબભાઇ રાઠોડ (૨૯) અને ઈરફાન કરીમભાઇ અગરિયા (૩૬) નામના બે યુવાનો અમરાપર ગામથી ટંકારા જતા હતા ત્યારે તેઓનું બાઈક પુલિયા પાસે સ્લીપ થઈ જતા ઇજાઓ થવાથી બંનેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.






Latest News