મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડ ઉપર રોડ ક્રોસ કરતા વૃદ્ધને રીક્ષા ચાલકે હડફેટે લેતા સારવારમાં


SHARE











મોરબીના વાવડી રોડ ઉપર રોડ ક્રોસ કરતા વૃદ્ધને રીક્ષા ચાલકે હડફેટે લેતા સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર વૃદ્ધ રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે રિક્ષા ચાલકે તેમને હડફેટ લેતા ઇજાઓ થવાથી વૃદ્ધને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ બજરંગ સોસાયટીમાં રહેતા બાબુભાઈ હરસુરભાઇ નાગલા નામના ૭૭ વર્ષીય વૃદ્ધ શહેરના વાવડી રોડ ઉપર રામદેવપીર મંદિર નજીક જનકનગર સોસાયટીના નાકા પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા રીક્ષા ચાલકે તેઓને હડફેટ લેતા ઇજાઓ થવાથી તેમને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા.એ ડિવિજન પોલીસ મથકના પી.એચ.બોરાણા દ્રારા તપાસ કરવામાં આવી રહી છે.જ્યારે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સત્યમ સોસાયટીમાં રહેતા મેહુલ કિરીટભાઈ પનારા નામના ૩૨ વર્ષના યુવાનને નંદનવન સોસાયટી પાસે બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

વૃદ્ધા સારવારમાં

મોરબીના કબ્રસ્તાનની પાસેથી બેભાન હાલતમાં હસીનાબેન કુલાભાઇ ભાણેસીયા નામના ૬૦ વર્ષીય વૃદ્ધાને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના જુના બસ સ્ટેશન પાસે થયેલ મારામારીના બનાવવામાં માળીયા મિંયાણાના નવી નવલખી ખાતે રહેતા હસનભાઈ સલેમાનભાઈ જામ નામના ૪૨ વર્ષના યુવાનને ઇજાઓ થતા તેને પણ સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીની અવધ સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ શેરસીયાનો ૧૪ વર્ષીય પુત્ર યોગી શનાળા રોડ ઉપર જીઆઇડીસી પાસેથી બાઈકમાં બેસીને જતો હતો.તે દરમિયાનમાં તેઓનું બાઈક સ્લીપ થઈ જતા ઈજાઓ થવાથી યોગી પ્રવીણભાઈ શેરસિયા નામના ૧૪ વર્ષીય બાળકને પણ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા સંગ્રામ કડવાભાઈ મેવાડા (૩૫) અને પોપટ પુના ભરવાડ (૨૩) નામના બે યુવાનોને મહેન્દ્રનગર ગામ પાસે આવેલ એસાર પંપ નજીક મારામારીના બનાવમાં ઈજાઓ થવાથી બંનેને સારવારમાં ખેંચાડવામાં આવ્યા હતા.જ્યારે શહેરના સામાકાંઠે સૌઓરડી પાસે આવેલ ચામુંડાનગર વિસ્તારમાં રહેતા મણીબેન જેઠાભાઇ સોલંકી નામના ૫૬ વર્ષીય વૃદ્ધાને શેરીમાં કોઇ અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા તેઓને ઇજાઓ થતાં સારવારમાં લાવવામાં આવ્યા હતા.






Latest News