હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં માનસીક અસ્થિર યુવાને પુલ ઉપરથી જંપલાવતા મોત


SHARE











મોરબીમાં માનસીક અસ્થિર યુવાને પુલ ઉપરથી જંપલાવતા મોત

મોરબીના પાડા પુલ ઉપરથી યુવાને જંપલાવી દેતા તેનું મોત નિપજ્યુ હતું અને પોલીસે તપાસ કરતાં ખુલ્યુ હતુ કે માનસિક અસ્થિરતાના પગલાં યુવાને અંતિમ પગલું ભરી લીધું હતું.

મોરબીના પાડા પુલ ઉપરથી યુવાન નીચે પડી ગયો હોવાથી તેનું મોત નીપજયુ હોય તેની જાણ કલ્પેશભાઈ કણજારીયા નામના યુવાને પોલીસને જાણ કરી હતી જેથી કરીને બી ડીવીજન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર સહિતનો સ્ટાફ દોટી આવ્યો હતો અને મૃતદેને પીએમ માટે સિવિલે ખડવામાં આવ્યો હતો.બાદમાં તપાસ કરતા ખૂલ્યું હતું કે મૃતકનું નામ રફીક રેહમતુલ્લા ગિલાણી જાતે ખોજા (૪૦) રહે.બકાલી શેરી મોરબી હોવાનું ખુલ્યું હતું અને મૃતકના લગ્ન થયેલા ન હોય અને છેલ્લા ઘણા સમયથી તેઓ માનસિક અસ્થિર હોય કોઈ કામ ધંધો કરતા ન હતા.આગલા દિવસે તા.૨૯ ની રાત્રિના ઘરેથી નીકળી ગયા બાદ તા.૩૦ ના સવારના મોરબીના પાડાપુર નીચેથી તેઓનો મૃતદેહ મળી આવ્યો હતો.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના રવાપર ગામે બોનીપાર્ક વિસ્તારની આસોપાલવ સોસાયટીમાં રહેતા કેશવજીભાઈ રણછોડભાઈ પટેલ નામના ૬૫ વર્ષીય આધેડને કાર-બાઈક અકસ્માતમાં ઇજાઓ થતા તેમને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ નળિયાના કારખાનામાં કામ કરતા ડાયાભાઈ ચૌહાણ નામનો ૩૨ વર્ષીય યુવાન નવાગામ રોડ ઉપરથી જતો હતો અને મચ્છુ ડેમ પાસે તેનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાઓ થતા તેને સારવારમાં લઈ જવાયો હતો.મોરબીના જુના મકનસર ગામે રહેતા હરજીવનભાઈ વસંતદાસ મકવાણા નામના ૩૫ વર્ષના યુવાનને ગામના હનુમાન મંદિર પાસે પ્રકાશ અને વાલજીભાઈએ લાકડી વડે મારતા સારવારમાં લવાયોયો હોય તે અંગે તેણે નિવેદન દેતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.તેમજ મોરબીના માળિયા હાઇવે ઉપર એસટી બસ અને ટ્રક અકસ્માતમાં નાનીવાવડી ગામના દિલીપ ભગવાનજી મકવાણા નામના ૪૨ વર્ષના યુવાનને ઇજાઓ થતા સારવારમાં ખસેડાયો હતો.

યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે તાલુકા પોલીસ સ્ટેશન નજીક રોડ ક્રોસ કરતા સમયે શાહરૂખ નામના યુવાનને વાહન અકસ્માતમાં ઇજાઓ તથા ૧૦૮ વડે તેને સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબીના વીસીપરા કુલી નગર શેરી નંબર ૨ માં રહેતા ઉમરભાઈ કાળુભાઈ મોવર નામના ૪૯ વર્ષીય આધેડને હાજીપીરની દરગાહ નજીક કાર અકસ્માતમાં ઈજા થતાં સારવારમાં ખસેડાયા હતા.






Latest News