મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેરની ડબલ ચાલીમાં પરિણીતાને આપઘાત કરવા મજબૂર કર્યાની પતિ-સાસુ સામે ફરિયાદ


SHARE











વાંકાનેરની ડબલ ચાલીમાં પરિણીતાને આપઘાત કરવા મજબૂર કર્યાની પતિ-સાસુ સામે ફરિયાદ

વાંકાનેરના વીસીપારમાં આવેલ ડબલ ચાલી વિસ્તારમાં રહેતી પરણીતાએ કોઈ કારણોસર પોતાના રૂમની અંદર રાત્રી દરમિયાન ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જે બનાવમાં મૃતકના પિતાએ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને મૃતક પરિણીતાના પતિ અને સાસુની સામે ફરિયાદ નોંધાવી છે જેથી કરીને વાંકાનેર સીટી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે ધ્રાગંધ્રામાં કામદાર સંધ હાઉસીંગ બોર્ડ ખાતે રહેતા હારૂનભાઈ ઈસ્માઈલભાઈ માલાણી જાતે મીયાણા મુસ્લીમ (૬૦)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે હમીદભાઇ હબીબભાઇ મોવર અને હસીનાબેન હબીબભાઇ મોવર રહે. બંને વાંકાનેર વીશીપરા મચ્છુ નદી કાઠે ડબલચાલી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેની દીકરી રોશનબેન (ઉંમર ૨૨)ના ચાર મહિના પહેલા જ હમિદભાઈની સાથે લગ્ન થયા હતા અને તા ૧૯ ના રાત્રિના એક વાગ્યાથી લઈને સવારના સાડા સાત વાગ્યા દરમિયાન પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને તેને આપઘાત કરી લીધો હતો છેલ્લા ચાર માસના દાંમ્પત્ય જીવનમાં આરોપીઓએ ઘરકામ બાબતે ગાળો બોલી ઢીકાપાટુનો મારમારી મેણાટોણા મારી માનશીક અને શારીરીક દુ:ખત્રાસ આપ્યો હતો અને તેના સાસુએ તેણીના પતીને ચડામણી કરીને માર ખવડાવીને ત્રાસ આપ્યો હતો જેથી કરીને કંટાળી જઈને તેની દીકરીએ પોતાનો રૂમ અંદરથી બંધ કરી ચુંદડી વડે ગળાફાસો ખાઈ આપઘાત કર્યો હતો હાલમાં આપઘાતના બનાવની વાંકાનેર સીટી પોલીસ દ્વારા મૃતકના પિતાની ફરિયાદના આધારે તેના પતિ અને સાસુની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવેલ છે






Latest News