મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ હળવદમાં ઘરે મોડા આવતા પતિ સાથે બોલાચાલી ઝઘડો થતાં પરિણીતાએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના નગરસેવકો પોતાના વિસ્તારના વિકાસ કામમાં કોઈ કચાસ ન રાખે: બ્રિજેશભાઇ મેરજા


SHARE











મોરબીના નગરસેવકો પોતાના વિસ્તારના વિકાસ કામમાં કોઈ કચાસ ન રાખે: બ્રિજેશભાઇ મેરજા

આગામી સમયમાં ચોમાસાની ઋતુ સંદર્ભે પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઇ મેરજાની અધ્યક્ષતામાં અત્યાર સુધીની થયેલ કામગીરીની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ત્યારે કલેક્ટર કચેરીના સભાખંડમાં નગરપાલિકાના તમામ સદસ્યો અને સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સીધો સંવાદ સાધી પ્રગતિ હેઠળના વિકાસકામો અંગે સમીક્ષા તેમજ ભવિષ્યમાં થનારા વિકાસ કાર્યો અંગે વિવિધ સુચનો કર્યા હતા.

આ સમીક્ષા બેઠકમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કેતમામ નગરસેવકો પોતાના વિસ્તારમાં જાગૃત રહીને જે કામગીરી કરી રહ્યા છે તેમાં કોઈ કચાસ ન રહે. આ સાથે જ મંત્રીએ સ્થાનિક પ્રશ્નોના ત્વરિત નિવારણ માટે હંમેશા પ્રયત્નશીલ રહેવા નગરસેવકોને સૂચન કર્યું હતું. મોરબીના સાર્વત્રિક અને સમતોલ વિકાસ માટે નગરસેવકોને અપીલ કરતા જણાવ્યું હતું કે દરેક માણસ સુધી પહોંચી અને તેના પ્રશ્નોને વાચા આપવીએ આપણું કર્તવ્ય છે. આ બેઠકમાં પ્રાદેશિક કમિશ્નર ધીમંત વ્યાસે મોરબી નગરપાલિકા વિસ્તારમાં ભવિષ્યમાં આકાર લેનાર રિવરફ્રન્ટ યોજનાકેનાલ રોડ બ્યુટીફીકેશનસોલાર પાર્ક તેમજ સીટી બસ પ્રોજેકટ અંગે માહિતી પૂરી પાડી હતી. વધુમાં ૧૬ સીએનજી નવી સીટી બસ ખરીદવાની કાર્યવાહી અંગે સૌને માહિતાગાર કર્યા હતા. આ સમીક્ષા બેઠકમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા ઉપરાંત નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમારઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાનગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા,  કારોબારી ચેરમેન સુરેશભાઇ દેસાઇપ્રાંત ડી.એ. ઝાલારિઝનલ કમિશ્નર ધીમંત વ્યાસ  સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા






Latest News