મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં BPCLના ૪૫ પેટ્રોલ પંપ ધારકોને ઓર્ડર મુજબ માલ ન મળતા પુરવઠા મંત્રીને કરી રજૂઆત


SHARE











મોરબી જિલ્લામાં BPCLના ૪૫ પેટ્રોલ પંપ ધારકોને ઓર્ડર મુજબ માલ ન મળતા પુરવઠા મંત્રીને કરી રજૂઆત

મોરબી જિલ્લામાં બીપીસીએલ કંપનીના ૪૫ જેટલા પેટ્રોલ પંપ આવેલા છે અને પેટ્રોલ પંપ ધારકો દ્વારા જ્યારે માલનો ઓર્ડર આપવામાં આવે ત્યારે ઓર્ડર મુજબ માલ આપવામાં આવતો નથી જેથી કરીને પેટ્રોલ પંપ ધારકોને પોતાના પેટ્રોલ ચાલુ રાખવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે માટે પેટ્રોલ પંપ ધારકો દ્વારા ગુજરાત રાજ્યના પુરવઠા મંત્રીને આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી અને જો આ મુદ્દે આગામી દિવસોમાં અસરકારક કામગીરી નહીં કરવામાં આવે તો આંદોલન કરવામાં આવે તો પણ નવાઇ નથી

મોરબી જિલ્લામાં બીપીસીએલના ૪૫ જેટલા પેટ્રોલ પમ્પ આવેલા છે અને આ પેટ્રોલ પંપ ધારકો દ્વારા પોતાના ગ્રાહકોને સમયસર પેટ્રોલ-ડીઝલ પૂરું પાડી શકાય તે માટે બીપીસીએલ કંપનીમાં ઓર્ડર નોંધાવવામાં આવતા હોય છે પરંતુ ઓર્ડર નોંધવામાં આવે તે મુજબ પેટ્રોલ પંપ ધારકોને પેટ્રોલ અને ડીઝલની સપ્લાય કરવામાં આવતી નથી જેથી કરીને પેટ્રોલ પંપ ધારકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ગ્રાહકોને સમયસર પેટ્રોલ-ડીઝલ પહોંચી શકાતું નથી જેથી કરીને મોરબીના બીપીસીએલ પેટ્રોલ પંપ ધારકો રાજ્યના પુરવઠા મંત્રી નરેશભાઇ પટેલને આ મુદ્દે રજૂઆત કરવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા અને અત્યારે એવી રજૂઆત કરવામાં આવી હતી કે, જે મુજબ બીપીસીએલ કંપનીમાં માલ લેવા માટે થઈને ઓર્ડર આપવામાં આવે છે તે મુજબ તેઓને માલની સપ્લાય કરવામાં આવતી નથી જેથી કરીને ગ્રાહકો અને પેટ્રોલ ધારકોને હાલાકીનો સામનો કરવો પડે છે અને જો આવીને આવી પરિસ્થિતિ રહી તો આગામી સમયમાં આંદોલન કરવામાં આવે તો નવાઈ નથી






Latest News