મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં BPCLના ૪૫ પેટ્રોલ પંપ ધારકોને ઓર્ડર મુજબ માલ ન મળતા પુરવઠા મંત્રીને કરી રજૂઆત


SHARE











મોરબી જિલ્લામાં BPCLના ૪૫ પેટ્રોલ પંપ ધારકોને ઓર્ડર મુજબ માલ ન મળતા પુરવઠા મંત્રીને કરી રજૂઆત

મોરબી જિલ્લામાં બીપીસીએલ કંપનીના ૪૫ જેટલા પેટ્રોલ પંપ આવેલા છે અને પેટ્રોલ પંપ ધારકો દ્વારા જ્યારે માલનો ઓર્ડર આપવામાં આવે ત્યારે ઓર્ડર મુજબ માલ આપવામાં આવતો નથી જેથી કરીને પેટ્રોલ પંપ ધારકોને પોતાના પેટ્રોલ ચાલુ રાખવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે માટે પેટ્રોલ પંપ ધારકો દ્વારા ગુજરાત રાજ્યના પુરવઠા મંત્રીને આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી અને જો આ મુદ્દે આગામી દિવસોમાં અસરકારક કામગીરી નહીં કરવામાં આવે તો આંદોલન કરવામાં આવે તો પણ નવાઇ નથી

મોરબી જિલ્લામાં બીપીસીએલના ૪૫ જેટલા પેટ્રોલ પમ્પ આવેલા છે અને આ પેટ્રોલ પંપ ધારકો દ્વારા પોતાના ગ્રાહકોને સમયસર પેટ્રોલ-ડીઝલ પૂરું પાડી શકાય તે માટે બીપીસીએલ કંપનીમાં ઓર્ડર નોંધાવવામાં આવતા હોય છે પરંતુ ઓર્ડર નોંધવામાં આવે તે મુજબ પેટ્રોલ પંપ ધારકોને પેટ્રોલ અને ડીઝલની સપ્લાય કરવામાં આવતી નથી જેથી કરીને પેટ્રોલ પંપ ધારકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ગ્રાહકોને સમયસર પેટ્રોલ-ડીઝલ પહોંચી શકાતું નથી જેથી કરીને મોરબીના બીપીસીએલ પેટ્રોલ પંપ ધારકો રાજ્યના પુરવઠા મંત્રી નરેશભાઇ પટેલને આ મુદ્દે રજૂઆત કરવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા અને અત્યારે એવી રજૂઆત કરવામાં આવી હતી કે, જે મુજબ બીપીસીએલ કંપનીમાં માલ લેવા માટે થઈને ઓર્ડર આપવામાં આવે છે તે મુજબ તેઓને માલની સપ્લાય કરવામાં આવતી નથી જેથી કરીને ગ્રાહકો અને પેટ્રોલ ધારકોને હાલાકીનો સામનો કરવો પડે છે અને જો આવીને આવી પરિસ્થિતિ રહી તો આગામી સમયમાં આંદોલન કરવામાં આવે તો નવાઈ નથી






Latest News