મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક રાહદારી યુવાનને હડફેટે લઈને મોત નીપજવનાર વાહનચાલક સામે ગુનો નોંધાયો


SHARE







વાંકાનેર નજીક રાહદારી યુવાનને હડફેટે લઈને મોત નીપજવનાર વાહનચાલક સામે ગુનો નોંધાયો

વાંકાનેરથી મોરબી તરફ જવાના રસ્તા ઉપર આવતા ગાયત્રી ચેમ્બર પાસે અજાણ્યા વાહનચાલકે પગપાળા જઈ રહેલા યુવાનને અડફેટે લીધો હતો જેથી કરીને યુવાનને ઈજાઓ થઈ હતી અને તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું આ બનાવમાં મૃતક યુવાનના પિતા દ્વારા હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહનચાલક સામે ફરીયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં પંચાસર રોડ ઉપર આવેલ વિધાતા પોટરી પાસે ધર્મનગરમાં રહેતા મૂળ ભાયાતિ જાંબુડિયા ગામના રહેવાસી માલાભાઈ પેથાભાઇ સાગઠીયાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તા. ૧૮/૪/૨૦૨૧ ના રોજ રાત્રીના નવેક વાગ્યાના અરસામાં તેનો દીકરો રમેશભાઈ માલાભાઈ સાગઠીયા રહે. ભાયાતિ જાંબુડિયા ગામ વાળો પગપાળા ચાલીને પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લીધો હતો અને આ અકસ્માત સર્જીને વાહનચાલક ઘટના સ્થળેથી નાસી ગયો હતો જોકે, ફરિયાદીના દીકરાને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી તેને બેભાન હાલતમાં સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજયું હતું હાલમાં માટે મૃતક યુવાનના પિતાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહનચાલક સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને શોધવા માટે થઈને તજવીજ શરૂ કરી છે






Latest News