હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામ પાસે દિવાલ માથે પડતાં નવ વર્ષની બાળકીને રાજકોટ ખસેડાઇ


SHARE











મોરબીના બેલા ગામ પાસે દિવાલ માથે પડતાં નવ વર્ષની બાળકીને રાજકોટ ખસેડાઇ

મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામ પાસે આવેલા ખોખરા હનુમાન ધામ નજીકના મોનોલીસા સિરામિકમાં અકસ્માત બનાવ બન્યો હતો જેમાં નવ વર્ષની બાળકી રમી રહી હતી ત્યારે તેના ઉપર દીવાલ પડતાં ઇજાગ્રસ્ત બાળકીને રાજકોટ ખસેડવામાં આવી હતી.

મોરબી તાલુકા પોલીસના સુત્રોના જણાવ્યા પ્રમાણે ખોખરા બેલા રોડ ઉપર આવેલ મોનાલીસા સિરામિક માં રહેતા પરિવારની ટીનું બેન દરિયાલાલ ભાઈ નામની નવ વર્ષની બાળકી બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં મિનિટમાં રહી હતી ત્યારે રમતા રમતા તેની સાથે દીવાલ પડી હતી જેથી કરીને તેને સારવાર માટે અહીં કૃષ્ણ હોસ્પિટલે લાવવામાં આવી હતી અને જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેની હાલત નાજુક જણાતાં વધુ સારવાર માટે ટીનીબેન નામની નવ વર્ષીય ઉપરોક્ત બાળકીને રાજકોટ સિવિલ ખાતે ખસેડવામાં આવી હતી બનાવ અંગે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં પાંચને ઇજા

મોરબી નજીક અણીયારી ટોલનાકા પાસે આવેલ આર.કે. હોટલના ગ્રાઉન્ડમાં વાહન અકસ્માતના બનાવ સર્જાયો હતો.જેમાં આગળ જતી કારના ચાલકે અચાનક સાઇડ લેતા બચવા માટે પાછળ આવતી કારના ચાલકે કારને સાઇડમાં લેવાનો પ્રયાસ કર્યો હતો જેથી કરીને કારના સ્ટીયરીંગ ઉપર કાબુ ન રહેતા કાર આર.કે હોટલના પાર્કિંગમાં પડેલા ટ્રકની સાથે અથડાઈ હતી.આ બનાવની અંદર મૂળ કચ્છ(ભુજ) ના રાપર તાલુકાના અયોધ્યાપુરી વિસ્તારમાં રહેતા પાંચ લોકોને ઈજાઓ પહોંચી હતી.જેથી તેઓને સારવારમાં ખસેડાયા હતા.ઉપરોક્ત વાહન અકસ્માતના બનાવમાં કંચનબેન કાંતિભાઈ મોરળીયા (૭૬), જીતેન્દ્ર કાંતિભાઈ મોરડીયા (૪૯), શીતલબેન જીતેન્દ્રભાઈ મોરડીયા (૪૪), ડોલીબેન મનોજભાઈ મોરડીયા (૪૨) અને જીયા જીતેન્દ્રભાઇ મોરડીયા (૧૦) ને ઇજાઓ પહોંચી હતી જેથી તેઓને સામખિયાળી નજીક આવેલ માતૃસ્પર્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા બનાવ મોરબી તાલુકા પોલીસ મથકના અણીયારી ગામ પાસે બન્યો હોવાથી તાલુકા પોલીસે નોંધ કરી હતી અને બનાવ સંદર્ભે જશપાલસિંહ જાડેજા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી.






Latest News