હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ૧૦૦ લોકો બૌધ્ધ વિહાર ખાતે બોધ્ધ ધર્મ અપનાવશે


SHARE











મોરબીમાં ૧૦૦ લોકો બૌધ્ધ વિહાર ખાતે બોધ્ધ ધર્મ અપનાવશે

મોરબીના લીલાપર ગામે રહેતા સામાજીક આગેવાન તેના પરિવાર સહિતના લોકો સાથે બોધ્ધ ધર્મ અપનાવી રહ્યા છે અને આગામી દિવસોમાં બૌધ્ધ વિહાર ખાતે તેઓ બોધ્ધ ધર્મ અપનાવશે

મોરબી જીલ્લાના લીલાપર ગામના રહેવાસી ગૌતમભાઇ મકવાણા સામાજીક આગેવાન છે જે પોતે અને તેના પરીવારના સભ્યો હીન્દુ ધર્મ છોડીને બોધ્ધ ધર્મ અપનાવી રહ્યા છે. જે અંગે ગૌતમભાઇ સાથે વાતચીત કરતા જાણવા મળ્યુ છે કે, મોરબીમાં વિજયનગરમા આવેલ બૌધ્ધ વિહાર ખાતે આગામી તા.૨૭-૫ ના રોજ મોરબીના અનુસુચિત જાતિના આશરે ૧૦૦ લોકો બોધ્ધ ધર્મની દીક્ષા લઇ રહ્યા છે. વધુમાં ગૌતમભાઇ મકવાણાએ જણાવેલ છે કે તેઓ અનુસુચિત જાતીના છે જેથી તેમની સાથે જાતીગત ભેદભાવ રાખવામા આવે છે. આભડછેટ રાખવામા આવે છે.અનુસુચિત જાતીના હોવાથી અત્યાચાર કરવામાં આવે છે જેથી તેઓ તેમજ તેમનો પરીવાર બોધ્ધ ધર્મની દીક્ષા લઇ રહ્યા છે.






Latest News