મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર પાસે સ્કૂટર સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE











મોરબીના બંધુનગર પાસે સ્કૂટર સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામ પાસેથી યુવાન પોતાનું સ્કૂટર લઈને જતો હતો ત્યારે સ્કૂટરના સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા સ્કૂટર સ્લીપ થઈ ગયું હતું જેથી યુવાનને માથાના ભાગે ઈજા થઈ હતી અને તેનું મોત નીપજ્યું છે.જે બનાવમાં મૃતક યુવાનની પત્નીની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માત બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરમાં આવેલ રોયલ પાર્ક સોસાયટી વૃંદાવન એસટી ડેપોની પાછળ રહેતાં જ્યોતિબેન જીતેશભાઈ રાઠોડ (ઉંમર ૪૩) એ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે હાલમાં પોતાના મૃતક પતિની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે મૃતક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.જેમાં ફરિયાદી જયોતિબેને જણાવ્યું છે કે તેના પતિ જીતેશભાઈ નાનજીભાઈ રાઠોડ (ઉમર ૪૫) સ્કૂટર લઈને તેના પિતાના ઘરે ગત તા.૭-૫ ના રોજ સવારે સાડા દસેક વાગ્યાના અરસામાં મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામ નજીક ચામુંડા હોટલ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે સ્કૂટર ચાલક જીતેશભાઇએ સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા વાહન સ્લીપ થઈ ગયું હતું. જેથી જીતેશભાઈ નાનજીભાઈ રાઠોડ નિચે પટકાવાથી માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેમનું મૃત્યુ નીપજયું હતુ. તેઓ પોતાના પિતાના ઘરે વાંકાનેર ગયા હતા અને ત્યાંથી પરત આવતા હતા ત્યારે અકસ્માતનો આ બનાવ બન્યો હતો જેમાં યુવાનું મોત નીપજયું છે હાલમાં મૃતક જીતેશભાઇના પત્નીની ફરિયાદ લઈને તાલુકા પીએસઆઇ આઈ.એમ. અજમેરીએ રાબેતા મુજબની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બમ્પના લીધે અકસ્માત

સુરેન્દ્રનગરના કારેલા ગામના વતની વિલાસબેન અશોકભાઈ ધાકડીયા નામની ૨૬ વર્ષીય મહિલા મોટર સાયકલમાં પાછળ બેસીને મોરબી-વાંકાનેર હાઇવે ઉપરથી જતા હતા ત્યારે મોરબી તાલુકાના નવા જાંબુડિયા ગામની પાસે રોડ ઉપર બનાવવામાં આવેલા બમ્પમાં તેઓ બાઇકમાંથી નીચે પડી ગયા હતા જેથી કરીને ઈજાગ્રસ્ત થયેલા વિલાસબેન ધાકડીયાને અહીંની હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા.અત્રે નોંધનીય છે કે હાઇવે, સર્વીસ રોડ તેમજ મોરબી સીટી વિસ્તાર અને સોસાયટી વિસ્તારોમાં આડેધડ કરવામાં આવેલા બમ્પ હાલ લોકો માટે ત્રાસદાયક બની ગયા છે તે નરી વાસ્તવીકતા છે.

 






Latest News