હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર પાસે સ્કૂટર સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE











મોરબીના બંધુનગર પાસે સ્કૂટર સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામ પાસેથી યુવાન પોતાનું સ્કૂટર લઈને જતો હતો ત્યારે સ્કૂટરના સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા સ્કૂટર સ્લીપ થઈ ગયું હતું જેથી યુવાનને માથાના ભાગે ઈજા થઈ હતી અને તેનું મોત નીપજ્યું છે.જે બનાવમાં મૃતક યુવાનની પત્નીની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માત બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરમાં આવેલ રોયલ પાર્ક સોસાયટી વૃંદાવન એસટી ડેપોની પાછળ રહેતાં જ્યોતિબેન જીતેશભાઈ રાઠોડ (ઉંમર ૪૩) એ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે હાલમાં પોતાના મૃતક પતિની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે મૃતક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.જેમાં ફરિયાદી જયોતિબેને જણાવ્યું છે કે તેના પતિ જીતેશભાઈ નાનજીભાઈ રાઠોડ (ઉમર ૪૫) સ્કૂટર લઈને તેના પિતાના ઘરે ગત તા.૭-૫ ના રોજ સવારે સાડા દસેક વાગ્યાના અરસામાં મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામ નજીક ચામુંડા હોટલ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે સ્કૂટર ચાલક જીતેશભાઇએ સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા વાહન સ્લીપ થઈ ગયું હતું. જેથી જીતેશભાઈ નાનજીભાઈ રાઠોડ નિચે પટકાવાથી માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેમનું મૃત્યુ નીપજયું હતુ. તેઓ પોતાના પિતાના ઘરે વાંકાનેર ગયા હતા અને ત્યાંથી પરત આવતા હતા ત્યારે અકસ્માતનો આ બનાવ બન્યો હતો જેમાં યુવાનું મોત નીપજયું છે હાલમાં મૃતક જીતેશભાઇના પત્નીની ફરિયાદ લઈને તાલુકા પીએસઆઇ આઈ.એમ. અજમેરીએ રાબેતા મુજબની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બમ્પના લીધે અકસ્માત

સુરેન્દ્રનગરના કારેલા ગામના વતની વિલાસબેન અશોકભાઈ ધાકડીયા નામની ૨૬ વર્ષીય મહિલા મોટર સાયકલમાં પાછળ બેસીને મોરબી-વાંકાનેર હાઇવે ઉપરથી જતા હતા ત્યારે મોરબી તાલુકાના નવા જાંબુડિયા ગામની પાસે રોડ ઉપર બનાવવામાં આવેલા બમ્પમાં તેઓ બાઇકમાંથી નીચે પડી ગયા હતા જેથી કરીને ઈજાગ્રસ્ત થયેલા વિલાસબેન ધાકડીયાને અહીંની હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા.અત્રે નોંધનીય છે કે હાઇવે, સર્વીસ રોડ તેમજ મોરબી સીટી વિસ્તાર અને સોસાયટી વિસ્તારોમાં આડેધડ કરવામાં આવેલા બમ્પ હાલ લોકો માટે ત્રાસદાયક બની ગયા છે તે નરી વાસ્તવીકતા છે.

 






Latest News