મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીની ઘુનડા(સ.) પ્રા.શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો


SHARE











મોરબીની ઘુનડા(સ.) પ્રા.શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો

મોરબી તાલુકાની શ્રી ઘુનડા(સ.) પ્રાથમિક શાળાના ધોરણ - ૮ ના વિદ્યાર્થીઓનો આ શાળામાં અભ્યાસ પૂર્ણ થતાં તેમનો વિદાય સમારોહ આયોજિત થયો.પ્રાથમિક શિક્ષણ વ્યક્તિત્વ વિકાસ અને ઘડતર માટેનું મૂલગત શિક્ષણ ગણાય છે.મોબાઈલમાં સેવ થયેલ કોઈ અંગત મિત્રનો નંબર ડિલીટ થઈ શકે છે પરંતુ,વિદ્યાર્થીના હૃદયમાં સેવ થયેલ તેની પ્રાથમિક શાળા અને શાળાના ગુરુજનો પ્રત્યેનો સ્નેહ જીવનભર ડિલીટ થતો નથી.આ વિદાય સમારોહમાં ઘો.૮ ના વિદ્યાર્થીઓ તરફથી શાળામાં તેમની યાદગીરી સ્વરૂપે  શાળાને યુનિવર્સલ કંપનીનું રૂપિયા ૧૫૦૦૦/- ની કિંમતનું ટ્રોલી સ્પીકર અર્પિત કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસકાળ દરમ્યાનના અનુભવો, પ્રતિભાવો અને સંસ્મરણો પ્રસ્તુત કર્યા હતાં. શાળાના મુખ્ય શિક્ષક ધર્મેન્દ્ર જી.જીવાણી તેમજ શાળા સ્ટાફ પરિવાર દ્વારા  વિદાય લેતા તમામ વિદ્યાર્થીઓ ધોરણ ૯ માં પ્રવેશ મેળવે અને અભ્યાસમાં ખૂબ આગળ વધી તેમના જીવનનું નિશ્ચિત ધ્યેય પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી






Latest News