ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા! મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં અદાણી કંપનીની તાનાશાહી અને ખેડૂતોની લાચારીને ઉજાગર કરતું નાટક રજૂ કરાયું માળીયા (મી)ના કાજરડા ગામ નજીકથી ચોરાઉ બાઇક-એક્ટિવા સાથે એક શખ્સ પકડાયો મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં કોરોનાથી મૃત્યુ પામેલા પીએસઆઈના પરિવારને ૨૫ લાખની સરકારી સહાય ચૂકવાઈ


SHARE











મોરબી જિલ્લામાં કોરોનાથી મૃત્યુ પામેલા પીએસઆઈના પરિવારને ૨૫ લાખની સરકારી સહાય ચૂકવાઈ

ગુજરાત સરકાર ગૃહ વિભાગ સચિવાલય ગાંધીનગરના ઠરાવની જોગવાઇ મુજબ પોલીસ દળહોમગાર્ડસીવીલ ડીફેન્સ તથા જેલતંત્રના અધિકારી કે કર્મચારીઓ રાજયમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ -૧૯ના સંક્રમણના કારણે ઉત્પન્ન થયેલ સંજોગોમાં આવશ્યક સેવાઓના ભાગરૂપે બજાવેલ ફરજો દરમ્યાન કોરોનાથી સંક્રમીત થાય અને જો તે કર્મચારી કે અધિકારીના દુઃખદ અવસાન થાય તો તેવા કિસ્સામાં તેઓના આશ્રિત કુંટુંબને ૨૫,૦૦,૦૦૦ ની સહાય આપવાની જોગવાઇ થયેલ છે

 ત્યારે મોરબી જિલ્લામાં રીડર શાખામાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા ધનસુખભાઇ કાનજીભાઇ ચાવડાને કોરોના થયો હતો અને ગત તા .૧૩/૦૪ ના રોજ તેનું અવસાન થતા ગૃહ વિભાગના ઠરાવ મુજબ આશ્રિત કુંટુંબને સહાયની રકમ ચુકવવા માટે પોલીસ અધિક્ષક મોરબી તરફથી તાત્કાલીક દરખાસ્ત કરવામાં આવેલ હતી અને પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગાંધીનગર તરફથી સહાય મંજુર કરવા હુકમ થતા પીએસઆઈ સ્વ. દલસુખભાઇ કાનજીભાઇ ચાવડાના દીકરા નીખીલભાઇ ધનસુખભાઇ ચાવડાને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના હસ્તે અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં સન્માન પુર્વક ૨૫,૦૦,૦૦૦ નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો 






Latest News