વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં કોરોનાથી મૃત્યુ પામેલા પીએસઆઈના પરિવારને ૨૫ લાખની સરકારી સહાય ચૂકવાઈ


SHARE











મોરબી જિલ્લામાં કોરોનાથી મૃત્યુ પામેલા પીએસઆઈના પરિવારને ૨૫ લાખની સરકારી સહાય ચૂકવાઈ

ગુજરાત સરકાર ગૃહ વિભાગ સચિવાલય ગાંધીનગરના ઠરાવની જોગવાઇ મુજબ પોલીસ દળહોમગાર્ડસીવીલ ડીફેન્સ તથા જેલતંત્રના અધિકારી કે કર્મચારીઓ રાજયમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ -૧૯ના સંક્રમણના કારણે ઉત્પન્ન થયેલ સંજોગોમાં આવશ્યક સેવાઓના ભાગરૂપે બજાવેલ ફરજો દરમ્યાન કોરોનાથી સંક્રમીત થાય અને જો તે કર્મચારી કે અધિકારીના દુઃખદ અવસાન થાય તો તેવા કિસ્સામાં તેઓના આશ્રિત કુંટુંબને ૨૫,૦૦,૦૦૦ ની સહાય આપવાની જોગવાઇ થયેલ છે

 ત્યારે મોરબી જિલ્લામાં રીડર શાખામાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા ધનસુખભાઇ કાનજીભાઇ ચાવડાને કોરોના થયો હતો અને ગત તા .૧૩/૦૪ ના રોજ તેનું અવસાન થતા ગૃહ વિભાગના ઠરાવ મુજબ આશ્રિત કુંટુંબને સહાયની રકમ ચુકવવા માટે પોલીસ અધિક્ષક મોરબી તરફથી તાત્કાલીક દરખાસ્ત કરવામાં આવેલ હતી અને પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગાંધીનગર તરફથી સહાય મંજુર કરવા હુકમ થતા પીએસઆઈ સ્વ. દલસુખભાઇ કાનજીભાઇ ચાવડાના દીકરા નીખીલભાઇ ધનસુખભાઇ ચાવડાને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના હસ્તે અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં સન્માન પુર્વક ૨૫,૦૦,૦૦૦ નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો 






Latest News