હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિર ખાતે ભજન સંધ્યામાં દરમ્યાન અનન્ય સેવા બદલ જયુભા જાડેજા નિર્મલભાઈ જારીયા નૈમિષભાઈ પંડિત સહીતનાઓને સન્માનીત કરાયા


SHARE











મોરબી જલારામ મંદિર ખાતે ભજન સંધ્યામાં દરમ્યાન અનન્ય સેવા બદલ જયુભા જાડેજા નિર્મલભાઈ જારીયા નૈમિષભાઈ પંડિત સહીતનાઓને સન્માનીત કરાયા

અહીંના સ્વ.કનુભાઈ કેશવલાલ પંડિત પરિવારના સૌજન્યથી મોરબી જલારામ મંદિર ખાતે ભજન સંધ્યા યોજાઇ હતી.મોરબીના શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે પ.પૂ.બાળવિદુષી રત્નેશ્વરીબેનના વ્યાસાસને ૧૫ પોથી સહ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ અનેરુ આયોજન તા.૨૪-૪ થી ૨૯-૪ દરમિયાન કરવામા આવ્યુ હતુ.જે અંતર્ગત સ્વ.કનુભાઈ કેશવલાલ પંડિત પરિવારના સૌજન્યથી 'રામ નામ કે હીરે મોતી' ફેઈમ અશોકભાઈ ભાયાણીની ભજન સંધ્યાનુ આયોજન કરવા મા આવ્યુ હતુ.જેમા બહોળી સંખ્યામા લોકો જોડાયા હતા.આ પ્રસંગે શ્રી જલારામ પ્રાર્થના મંદિરના સેવાકાર્યોના પ્રેરણા સ્ત્રોત એવા જાડેજા પરિવાર (જયદીપ એન્ડ કંપની) ના મોભી જયુભા જાડેજા, નિર્મલભાઈ જારીયા, સ્વ.કનુભાઈ પંડિતના સુપુત્રો નૈમિષભાઈ પંડિત તથા નેવિલભાઈ પંડિત સહીતના અગ્રણીઓનુ સંસ્થાના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, નિર્મિતભાઇ કક્કડ, નરેન્દ્રભાઈ રાચ્છ, રમણીકભાઈ ચંડીભમર, ભાવિનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, પપ્પુભાઈ ચંડીભમર સહીતનાઓ દ્વારા સાલ ઓઢાળી સન્માન કરવામા આવ્યુ હતુ.આ તકે બહોળી સંખ્યામા રાજકીય-સામાજીક અગ્રણીઓ જેમા કૃષ્ણસિંહ જાડેજા, રૂચિરભાઈ કારીયા, નેવિલભાઈ પંડિત, નિલેષભાઈ ખખ્ખર, કિશોરભાઈ ચિખલીયા, તેજશભાઈ બારા, કેતનભાઈ વિલપરા, રાજુભાઈ કાવર, સુરેશભાઈ ગોસ્વામી, ચેતનભાઈ એરવાડીયા, દીનેશભાઈ ભોજાણી, કીશોરભાઈ ચંડીભમર, વિરલભાઈ બુધ્ધદેવ, કાજલબેન ચંડીભમર,પરેશભાઈ કાનાબાર, કુલદીપભાઈ રાજા,ગૌરવભાઈ કારીયા, નેહલભાઈ કોટક, જયેશભાઈ કોટક, જનકભાઈ હીરાણી સહીતના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર, વૈકુંઠ રથ સેવા, અંતિમ યાત્રા બસ, શબવાહિની સેવા, એમ્બ્યુલન્સ સેવા,દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદ ની સેવા, અસ્થિ વિસર્જન સેવા, પદયાત્રીઓ ની સેવા, વિનામુલ્યે નેત્રમણી નેત્રયજ્ઞ કેમ્પ, ફ્રિઝ શબ પેટી, મેડીકલ સાધનો ની સેવા જેવી વિવિધ પ્રકાર ની માનવસેવા સર્વજ્ઞાતિય પ્રદાન કરવામા આવે છે ત્યારે જલારામ મંદિર સ્થિત સેજપાલ હોલના ઉપરના ભાગમા વિશાળ એ.સી. હોલનુ નિર્માણકાર્ય ટુંક સમયમા શરૂ થશે તેમ યાદીમા જણાવ્યુ છે.






Latest News