હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

હળવદના નવા દેવળિયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી બે સગા ભાઇઓના મોત


SHARE











હળવદના નવા દેવળિયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી બે સગા ભાઇઓના મોત

 હળવદ તાલુકાના નવા દેવળિયા ગામે આવેલ વાડીમાં પાણીની કુંડી અંદર ડૂબી જવાના કારણે બે સગા માસૂમ ભાઇના ઘટનાસ્થળે જ મોત નિપજયા હતા જેથી તેના મૃતદેહને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના નવા દેવળીયા ગામની સીમમાં ધર્મેન્દ્રસિંહ પ્રવીણસિંહ પરમારની વાડીએ રહેતા સરદારભાઈ માવડાના બે દીકરા અશોક (ઉંમર ૩) ને ઋષિ (ઉંમર ૫) વાડીએ હતા ત્યારે ત્યાં બનાવવામાં આવેલ પાણીની ટાંકીમાં અકસ્માતે બંને ડૂબી જતા તે બંને બાળકોના ઘટનાસ્થળે જ મોત નિપજયા હતા જેથી કરીને બાળકોના મૃતદેહને પીએમ માટે હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતથી મૃત્યુના આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News