હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

હળવદના નવા દેવળિયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી બે સગા ભાઇઓના મોત


SHARE











હળવદના નવા દેવળિયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી બે સગા ભાઇઓના મોત

 હળવદ તાલુકાના નવા દેવળિયા ગામે આવેલ વાડીમાં પાણીની કુંડી અંદર ડૂબી જવાના કારણે બે સગા માસૂમ ભાઇના ઘટનાસ્થળે જ મોત નિપજયા હતા જેથી તેના મૃતદેહને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના નવા દેવળીયા ગામની સીમમાં ધર્મેન્દ્રસિંહ પ્રવીણસિંહ પરમારની વાડીએ રહેતા સરદારભાઈ માવડાના બે દીકરા અશોક (ઉંમર ૩) ને ઋષિ (ઉંમર ૫) વાડીએ હતા ત્યારે ત્યાં બનાવવામાં આવેલ પાણીની ટાંકીમાં અકસ્માતે બંને ડૂબી જતા તે બંને બાળકોના ઘટનાસ્થળે જ મોત નિપજયા હતા જેથી કરીને બાળકોના મૃતદેહને પીએમ માટે હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતથી મૃત્યુના આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News