મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં દાદા દાદીએ કામ ધંધો કરવાનું કહેતા બેકાર યુવાનને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE











મોરબીમાં દાદા દાદીએ કામ ધંધો કરવાનું કહેતા બેકાર યુવાનને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીના વીસીપરા વિસ્તારમાં શક્તિ મેડિકલ સ્ટોરની પાછળના ભાગમાં રહેતો યુવાન બેકાર હોય તેના દાદા દાદીએ કામ ધંધો કરવા માટે કહ્યું હતું જેથી કરીને લાગી આવતા તે યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને યુવાનના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના વીસીપરા વિસ્તારની અંદર આવેલ શક્તિ મેડિકલ સ્ટોરની પાછળના ભાગમાં રહેતા ગોપાલ માનસિંગ ઓગણીયા જાતે દેવીપુજક (ઉંમર ૨૦) નામના યુવાને પોતાના જ ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આપઘાત કરી લેનાર યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તપાસ કરતાં એએસઆઈ વી.ડી. મેતા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, મૃતક યુવાનના માતા પિતા આદિપુરમાં રહે છે અને તે યુવાન તેના દાદા અને દાદી સાથે રહેતો હતો અને કોઈ કામ ધંધો કરતો ન હતો જેથી તેને દાદા દાદીએ કામ ધંધો કરવા માટે કહ્યું હતું જે લાગી આવતા યુવાને અંતિમ પગલું ભરી લીધું હોવાની સામે આવ્યું છે

આધેડનું મોત

માળીયા મિયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે રહેતા અમૃતલાલ ભગવાનજીભાઈ વિડજા જાતે પટેલ (ઉંમર ૫૨) ને છાતીમાં દુખાવો ઉપડતા તેને જેતપરના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ ગયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા આ બનાવની માળિયા મિયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News