રામાયણના પાત્રોમાં જીવન મૂલ્યો: મોરબીની યુ.એન. મહેતા આર્ટસ કોલેજમાં વ્યાખ્યાન યોજાયું મોરબી જિલ્લાના ૨૦ વિદ્યાર્થીઓને આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ટેબ્લેટનું કરાયું વિતરણ મોરબીમાં દાઉદી વ્હોરા સમાજની શ્રદ્ધાસભર પદયાત્રા મોરબીની એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે જુદીજુદી સ્પર્ધાઓ યોજાયો મોરબી મહાપાલિકામાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારમાંથી વેરા વસૂલાતની વિસંગતતા દૂર કરવા સંકલનની બેઠકમાં ધારાસભ્યએ કરી રજૂઆત મોરબી-રાજકોટ રોડનું સમારકામ તાત્કાલિક શરૂ કરવા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની કડક સૂચના મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ૨૫ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં ચેક રીટર્નના કેસમાં આરોપીને કોર્ટે સજા ફટકારી


SHARE





મોરબીમાં ચેક રીટર્નના કેસમાં આરોપીને કોર્ટે સજા ફટકારી

મોરબીની ચીફ જયુડીશીઅલ મેજીસ્ટ્રેટ એ.એન.વોરાની કોર્ટમાં ચેક રીટર્નનો કેસ ચાલી ગયો હતો જેમાં મહત્વનો ચુકાદો આપીને આરોપીને સજા ફટકારી છે

આ કેસની માહિતી આપતા જણાવ્યુ હતું કે, મોરબી તાલુકાના નાની વાવડીમાં રહેતા મનજીભાઈ ડાયાભાઈ પડસુંબીયાએ ૨૦૧૪ માં મોરબીના જીજ્ઞેશગીરી વિનોદગીરી ગોસ્વામી પાસેથી અંગત જરૂરીયાત માટે સંબંધના દાવે ૪,૨૫,૦૦૦ હાથ ઉછીના લીધેલ હતા જે રકમ પરત આપવા માટે મનજીભાઈએ ૪,૨૫,૦૦૦ નો ચેક આપેલ હતો જે ચેક રિટર્ન થયો હતો જેથી જીજ્ઞેશભાઈએ ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટસ એકટની કલમ ૧૩૮ અન્વયે મોરબીના ચીફ જયુડીશીઅલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ફોજદારી ફરીયાદ ૨૦૧૪ માં દાખલ કર્યો હતો જે કેસ કોર્ટમાં ચાલી જતા મોરબીના ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ એ.એન.વોરાએ આરોપીને ૧ વર્ષની સાદી કેદની સજા તેમજ ચેકની બમણી રકમ એટલે કે ૮,૫૦,૦૦૦ નો દંડ કર્યો છે અને દંડની ૨કમ ચૂકવવામાં આવે તો બીજા ૯૦ દિવસની કેદની સજાનો હુકમ કરેલ છે અને દંડની રકમમાંથી ફરીયાદીને ફરીયાદ વાળા ચેકની રકમ તથા ચેકની રકમ ઉપર વાર્ષિક ૯ ટકા લેખે વ્યાજની રકમ ચૂકવી આપવાનો આદેશ કરેલ છે આ કેસમાં ફરીયાદ પક્ષે વકીલ તરીકે ચિરાગભાઈ ડી.કારીઆ તથા રવિભાઈ કે.કારીયા રોકાયેલ હતા.






Latest News