રામાયણના પાત્રોમાં જીવન મૂલ્યો: મોરબીની યુ.એન. મહેતા આર્ટસ કોલેજમાં વ્યાખ્યાન યોજાયું મોરબી જિલ્લાના ૨૦ વિદ્યાર્થીઓને આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ટેબ્લેટનું કરાયું વિતરણ મોરબીમાં દાઉદી વ્હોરા સમાજની શ્રદ્ધાસભર પદયાત્રા મોરબીની એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે જુદીજુદી સ્પર્ધાઓ યોજાયો મોરબી મહાપાલિકામાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારમાંથી વેરા વસૂલાતની વિસંગતતા દૂર કરવા સંકલનની બેઠકમાં ધારાસભ્યએ કરી રજૂઆત મોરબી-રાજકોટ રોડનું સમારકામ તાત્કાલિક શરૂ કરવા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની કડક સૂચના મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ૨૫ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં દાઉદી વ્હોરા સમાજની શ્રદ્ધાસભર પદયાત્રા


SHARE





મોરબીમાં દાઉદી વ્હોરા સમાજની શ્રદ્ધાસભર પદયાત્રા

મૌલા ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS)ના મોરબી પધારવાના મુબારક અવસરને લઈને દાઉદી વ્હોરા સમાજમાં ખુશી અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તકે મોરબીના દાઉદી વ્હોરા સમાજના ભાઈઓ, બેહનો, વડીલો અને બાળકો એકસાથે નાની બજારમાં આવેલી સૈફી મસ્જિદ ખાતેથી પદયાત્રા સ્વરૂપે નીકળ્યા હતા. અને મોલાએરાજા સાહેબની દરગાહે પહોંચ્યા હતા. દરગાહ શરીફ ખાતે પહોંચ્યા બાદ અકીદતમંદો દ્વારા મોલાએરાજા સાહેબની દરગાહ ખાતે મૌલા મોરબી પધારે તે માટે ખાસ દુઆ કરવામાં આવી હતી. આ પ્રસંગે મોરબી શહેર તેમજ સમગ્ર દાઉદી વ્હોરા સમાજમાં અમન, સલામતી, ખુશહાલી, બરકત અને ભાઈચારાની દુઆ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન દરગાહ શરીફ ખાતે ઈબાદત, દુઆ અને અકીદતનો માહોલ છવાઈ ગયો હતો. મોરબી દાઉદી વ્હોરા સમાજના લોકો દ્વારા મૌલા સાહેબના મુબારક આગમન નિમિત્તે ખાસ દુઆ કરી સમાજ અને શહેરની સલામતી તથા અમન-ચેન માટે પ્રાર્થના કરવામાં આવી હતી.






Latest News