મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં કોલેજ વિભાગ અને બિન શૈક્ષણિક વિભાગમાં સ્ટાફ ભરતી
મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન
SHARE
મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ, મોરબી તાલુકા દ્વારા ભારતીય સંસ્કૃતિ અને ગુરુ-શિષ્ય પરંપરાના મહિમાને ઉજાગર કરવા “ગુરુવંદના કાર્યક્રમ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે રવિભાઈ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મુખ્ય મહેમાન તરીકે વિપુલભાઈ અઘારા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રચાર પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા રવિભાઈ ઝાલા દ્વારા ગુરુના મહિમા, શિક્ષકની જવાબદારી અને ભારતીય ગુરુ-શિષ્ય પરંપરાના મહત્વ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શિક્ષક માત્ર જ્ઞાન આપનાર નથી, પરંતુ વિદ્યાર્થીઓના જીવનમાં સંસ્કાર, મૂલ્યો અને રાષ્ટ્રભાવનાનું સિંચન કરનાર મહત્વપૂર્ણ ઘડવૈયા છે, તે અંગે ભાર મૂકવામાં આવ્યો હતો. તેમજ મુખ્ય મહેમાન વિપુલભાઈ અઘારા દ્વારા પણ શિક્ષણ, સંસ્કાર અને રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે પોતાના વિચારો વ્યક્ત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના અંતે દિનેશભાઈ વડસોલા દ્વારા મોરબી તાલુકા ટીમની નવી રચનાની જાહેરાત કરવામાં આવી હતી. નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી શિક્ષકોના હિત, શૈક્ષણિક ગુણવત્તા, સંસ્કાર અને રાષ્ટ્ર નિર્માણના કાર્યને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો









