સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ મોરબીના તળાવિયા શનાળા-ઘૂટું ગામ નજીક જુગારની બે રેડમાં 13 શખ્સ પકડાયા: 1.79 લાખની રોકડ કબ્જે વાંકાનેર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો રાજીવ ગાંધીની જન્મ જયંતી નિમિત્તે મોરબી સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બહેતર સીટી અભિયાન અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઇ
Breaking news
Morbi Today

હુકમ માત્ર કાગળ ઉપર જ !: મોરબી એસટી ડેપોના દ્રારા અસંખ્ય રૂટ બંધ કરાતા પ્રજા હેરાન


SHARE





હુકમ માત્ર કાગળ ઉપર જ !: મોરબી એસટી ડેપોના દ્રારા અસંખ્ય રૂટ બંધ કરાતા પ્રજા હેરાન

મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા જિલ્લા કલેકટર તેમજ એસ.ટી ડેપો મેનેજરને પત્ર લખીને અસંખ્ય રૂટ આડેધડ સર્વે કર્યા વિના જ બંધ કરી દેવાયા હોય મુસાફર જનતા તેમજ અપડાઉન કરતા લોકો અને વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે તે અંગે ફરિયાદ કરીને પુનઃ રૂટ ચાલુ કરવામાં આવે તેવી સામાજીક કાર્યકરો દ્રારા વોકહીતમાં માંગ કરેલ છે.

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, અશોકભાઇ ખરચરીયા, જગદીશભાઇ બાંભણીયા, મુસાભાઇ બ્લોચ તેમજ જીજ્ઞેશભાઇ પંડયાએ જીલ્લા કલેકટર તેમજ એસટી મેનેજરને લેખીતમાં રજૂઆત કરતા જણાવેલ છેકે, મોરબી જીલ્લામાં એસ.ટી. ડેપોનું તંત્ર એટલું ખાડે ગયેલ છે કે પ્રજા ત્રાહીમામ પોકારી ગયેલ છે.કોરોના સમયે બંધ કરાયેલ બસો હજુ ચાલુ કરવામાં આવેલ નથી..! જેમાં મોરબી-કરજણ રાત્રી બસ સેવા કે જે મોરબીથી છેલ્લી બસ હતી તે બસ તેમજ મોરબી-અંબાજી વાયા પાટડી બજાણા તેમજ મોરબીથી સવારે વહેલી ઉપડતી મોરબી-રાજકોટ જે સવારે ૫-૩૦ કલાકે મોરબીથી ઉપડતી હતી તે બસોને આવકના બહાના હેઠળ બંધ કરવામાં આવેલ છે.તેમજ ટંકારાનું નવું બસ સ્ટેન્ડ બનાવેલ છે પરંતુ હાલમાં બસો ટંકારા ડેપોમાં જતી નથી અને તેને લઇને વિધાર્થીઓ અને પ્રજાજનો હાલાકીનો સામનો કરી રહ્યા છે.જે બસ સ્ટેન્ડ કરોડોના ખર્ચે તૈયાર થયેલ છે તે હાલ શોભાના ગાંઠીયા સમાન બની ગયેલ છે.તેમજ ગ્રામ્ય વિસ્તારના ધણા રૂટ બંધ કરી દેવામાં આવેલ છે.જેથી ગ્રામ્ય વિસ્તારની પ્રજાને ના છુટકે છકડા રીક્ષામાં તથા પ્રાઇવેટ વાહનોમાં જાનના જોખમે મુસાફરી કરવાની ફરજ પડે છે.

સરકાર એસ.ટી. નિગમને કરોડો રૂપિયા ગ્રાટ આપે છે. નવી બસો આપે છે પરંતુ સ્થાનીક અધિકારી કે રાજકોટના અધિકારીશ્રીને મુસાફર જનતા ઉપર જરાય દયા જેવું નામ નથી . મોરબી જીલ્લો સરકારે બનાવી દીધો પરંતુ જીલ્લા પ્રમાણે કોઇ સુવિધા આપવામાં એસ.ટી. તંત્ર નિષ્ફળ ગયેલ છે આને કારણે સરકાર પણ બદનામ થાય છે તાજેતરમાં રાજકોટના એસ.ટી. અધિકારીઓ મોરબી ડેપો ખાતે આવેલ અને સુચનાઓ આપેલ પરંતુ તેનો કોઇ અમલ થયેલ હાલ કાગળ ઉપર રહી ગયો અને કાંઇ નીકાલ થયો નથી . તો આ બાબતે મુખ્યમંત્રીશ્રી રસ લઇને કામ કરે એવી માંગણી છે . અને મોરબીની પ્રજાને વિશ્વાસ છે કે મુખ્ય મંત્રીશ્રી આ અરજીનો નીકાલ પ્રજાના હીતમાં તાત્કાલી કરશે . અમો સામાજીકકાર્યકરો રાજુભાઇ દવે તથા જીજ્ઞેશભાઇ પંડયા , અશોક ખરચરીયા , જગદીશભાઇ જી . બાંભણીયા , મુસાભાઇ બ્લોચ ની આમ જનતા વતી રજુઆત અને માંગણી છે તેવી આ વિસ્તારની જનતા  પ્રજાજનોની માંગણી છે.






Latest News