હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

જમીન ૨૦ લાખમાં જમીન લઈને માત્ર ૬ લાખ આપી ધાકધમકી આપતા નાની વાવડી ગામે આધેડે કર્યો આપઘાતનો પ્રયાસ


SHARE











જમીન ૨૦ લાખમાં જમીન લઈને માત્ર ૬ લાખ આપી ધાકધમકી આપતા નાની વાવડી ગામે આધેડે કર્યો આપઘાતનો પ્રયાસ

મોરબીના નાની વાવડી ગામે રહેતા આધેડે પોતાની જમીન ૨૦ લાખમાં વેચી હતી જોકે જમીન લેનારે માત્ર છ લાખ રૂપિયા આપ્યા બાદ ૧૪ લાખ રૂપિયા આપતા ન હતા અને અવારનવાર ધાક ધમકી આપતા હતા જેથી કરીને આધેડે આપઘાત કરવાના ઈરાદે ઝેરી દવા ગટગટાવી લીધી હતી માટે આધેડને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ જોડીયા તાલુકાના હડીયાણા ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના નાની વાવડી ગામે શિવગંગા સોસાયટીની અંદર રહેતા હસમુખભાઇ લક્ષ્મણભાઈ કાનાણી જાતે પટેલ (૫૦) એ પોતાના ગામડે આવેલ જમીન હેમંત સંગ્રામભાઈ રાઠોડ જાતે ભરવાડને રૂપિયા ૨૦ લાખમાં વેચી હતી જે પેટે તે વ્યક્તિએ તેને છ લાખ રૂપિયા આપ્યા હતા અને બાકીના ૧૪ લાખ રૂપિયા આપવાના બાકી હતા જોકે તે રૂપિયા આપવાના બદલે જમીન લેનાર હેમંત રાઠોડ દ્વારા તેને ધાકધમકીઓ આપવામાં આવતી હતી અને જમીન ઉપર જાહેર નોટિસનું બોર્ડ તે મારી ગયેલ છે અને બાકીના પૈસા આપતો ન હોવાથી જમીન જતી રહેશે અને પૈસા આવશે નહીં તેવા ડરના લીધે આધેડે નાની વાવડી ગામે પોતાના ઘર પાસે બાવળના કાંટાની જાળીમાં ઝરે દવા પી લીધેલ હતી જેથી હસમુખભાઈ કાનાણીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News