મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વિચરતી વિમુખ જાતિના ૩૦૦ પરિવારોને ૧૦૦ વરિયા પ્લોટની કરાઇ ફાળવણી


SHARE











મોરબી જિલ્લામાં વિચરતી વિમુખ જાતિના ૩૦૦ પરિવારોને ૧૦૦ વરિયા પ્લોટની કરાઇ ફાળવણી

મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં રહેતા વિચરતી વિમુ જાતિના લોકોને સ્થાયી જીવન જીવતા નથી માટે તેઓને સ્થાયી જીવન માટે સરકારની યોજના અંતર્ગત પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી અને આગામી સમયમાં તે લોકો પોતાના પ્લોટ ઉપર સરકારી યોજના હેઠળ બાંધકામ કરી શકે તેની પણ વ્યવસ્થા તેઓની સંસ્થા અને સરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવશે

સમગ્ર રાજ્યભરની અંદર વિચારતી વિમુ જાતિના લોકો રખડતું ભટકતું જીવન જીવતા હોય છે અને જ્યાં તેઓને રોજગાર મળે તે જગ્યા ઉપર તેવો સ્થાયી થાય છે પરંતુ આ પરિવારો પણ એક ચોક્કસ જગ્યાએ સ્થાયી જીવન જીવે તે માટે તેને સરકાર દ્વારા આ પરિવારોને પ્લોટની ફાળવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે મોરબી જિલ્લાની અંદર પણ વિચારતી વિમુજાતિના લોકોને પ્લોટની ફાળવણી કરવા માટે થઈને છેલ્લા ઘણા સમયથી વિચારતા સમુદાય સમર્થન મંચ દ્વારા રજુઆત અને માગણી કરવામાં આવી રહી હતી જેને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં કુલ મળીને ૩૦૦ જેટલા પરિવારોને સરકારી યોજના અંતર્ગત પ્લોટની ફાળવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે મોરબી તાલુકાના જાંબુડિયા ગામ પાસે સરકારી ખરાબાની જગ્યામાં મળીને ૧૨૪ જેટલા વિચરતી વિમુજાતિના પરિવારોને ૧૦૦ વરિયા પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી અને આગામી સમયમાં સરકારની યોજનાનો લાભ લઈને તે લોકો પોતાના પ્લોટ પર મકાનનું બાંધકામ કરી શકે તેવી વ્યવસ્થા પણ સરકારી અધિકારી અને વિચારતા સમુદાય સમર્થન મંચ સંસ્થા દ્વારા કરવામાં આવશે




Latest News