મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રણ માસ પહેલા છૂટાછેડા થયા હોવાનું મનમાં લાગી આવતા ઉંદર મારવાની દવા પી લેતા યુવતી સારવારમાં


SHARE











મોરબીમાં ત્રણ માસ પહેલા છૂટાછેડા થયા હોવાનું મનમાં લાગી આવતા ઉંદર મારવાની દવા પી લેતા યુવતી સારવારમાં

મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં રહેતી યુવતીએ ઉંદર મારવાની દવા પી લેતા તેણીને સારવારમાં ખસેડવામાં આવી હતી.પોલીસ તપાસમાં ખૂલ્યું હતું કે તેણીના ત્રણ માસ પહેલા છૂટાછેડા થયા હોય ટેન્શનમાં આવી જઈને માવતરને ત્યાં જ તેણીએ ઉપરોક્ત પગલું ભર્યું હતું.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના મકરાણીવાસ વિસ્તારમાં માવતરને ત્યાં રહેતી નગ્માબેન અનવરભાઈ શાહમદાર નામની ૨૧ વર્ષીય યુવતીએ તેના ઘેર ઉંદર મારવાની દવા પી લીધી હતી.જેથી તેણીને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઇ ગોહિલે તપાસ કરતા ખૂલ્યું હતું કે ભોગ બનેલ નગ્માબેનના ત્રણ માસ પહેલા છુટાછેડા થયેલા છે અને તેને લઈને તે માનસિક ટેન્શનમાં ગુમસુમ રહેતા હતા અને તે દરમ્યાન તેમણે ઉપરોક્ત પગલું ભરી લેતાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

ભુજમાં આરટીઓ નજીક રહેતા મીતાબેન કલ્પેશભાઇ ઠક્કર નામની ૪૭ વર્ષીય મહિલાને મોરબીના માળીયા તાલુકાના હરીપર ગામ પાસે કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માત બનાવમાં ઇજાઓ થતાં મિતાબેનને અહિંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે ટીંબડી નજીક રહેતા મગનભાઈ મોહનભાઈ આદ્રોજા નામના ૬૫ વર્ષીય વૃદ્ધ માળીયા હાઈવે ઉપરથી જતા હતા ત્યારે પાટીદાર ટાઉનશીપ નજીક તેઓના બાઇકને કાર નંબર જીજે ૪ બીબી ૮૩૪૯ ના ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત મગનભાઈ આદ્રોજાને સારવાર માટે સામેકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે ખસેડાયા હતા.

બાળક-યુવાન સારવારમાં

મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા બીપીનભાઈ કૈલાના નવ વર્ષીય પુત્ર વૈભવને વાહન અકસ્માતમાં ઇજા થતાં સારવારમાં સીવીલે ખસેડાયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે વૈભવ પોતાના પિતાની સાથે બાઈકમાં જતો હતો ત્યારે ઘૂંટુ અને મોરબીની વચ્ચે તેમના બાઇકની આડે કુતરૂ આડુ ઉતરતા બાઈક સ્લીપ થઈ જતાં ૧૦૮ વડે વૈભવને સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના હળવદ રોડ ઉપર ઉંચી માંડલ ગામ પાસે આવેલ સીબોન સિરામિકમાં રહીને મજૂરી કરતા મહેશ ગંગાપ્રસાદ માલવિયા નામના ૩૫ વર્ષીય યુવાનને તેના કવાટરમાં અકસ્માતે પેટના ભાગે ઇજાઓ થવાથી તેને સામાકાંઠે સમર્પણ હોસ્પિટલે ખસેડાયો હતો.






Latest News