હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

હળવદના ઘનશ્યામગઢ ગામે ઝેરી દવા પી જતાં યુવાનનું મોત


SHARE











હળવદના ઘનશ્યામગઢ ગામે ઝેરી દવા પી જતાં યુવાનનું મોત

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા ઘનશ્યામ ગઢ ગામે વાડી વિસ્તારમાં રહીને ખેત મજૂરીકામ કરતાં વડોદરાના આદિવાસી યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા ઘનશ્યામ ગઢ ગામે જીતુભાઈ પટેલની વાડીમાં રહીને ખેત મજૂરીનું કામ કરતાં ખાજરભાઈ પિંગલાભાઈ જામસિંગભાઇ બારીયા જાતે આદિવાસી મૂળ રહે.સેડાલ તા.વાઘોડીયા જી.વડોદરા વાળાએ ગઈકાલ તા.૧૫ ના બપોરના બારેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી જેથી તેને બેભાન હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા અહીં ફરજ ઉપરના તબીબે જોઈ તપાસીને ખાજરભાઇ આદીવાસીને મૃત જાહેર કર્યો હતો અને બનાવ સંદર્ભે હળવદ પોલીસને જાણ કરવામાં આવતાં હાલમાં હળવદ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વી.પી.છાસીયાએ બનાવની નોંધ કરીને ખાજરભાઈ આદિવાસીએ કયા કારણોસર અંતિમ પગલું ભર્યું..? તે દિશામાં આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબી વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ પાસે આવેલ સોનેટ સીરામીક પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઇજાગ્રસ્ત રામનારાયણ રમેશભાઇ વર્મા નામના ૪૮ વર્ષીય મજુર યુવાનને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અને પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું કે રામનારાયણને તેના નાના ભાઈ દેવસિંગ સાથે મજૂરીના પૈસા બાબતે ઝઘડો થયો હતો જેમાં નાના ભાઈ દ્વારા માર મારવામાં આવતા તેને સારવાર માટે લાવવામાં આવ્યો છે.જ્યારે મોરબીના સામાકાંઠે આવેલા માળીયા ફાટક નજીક રહેતા કાસમ સલેમાનભાઈ ભટ્ટી નામના ૩૫ વર્ષીય યુવાનને માળીયા ફાટક પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતો હિતેશ દિલીપભાઈ માલણીયાત નામનો ૨૦ વર્ષીય યુવાન ઘરેથી કામ ઉપર જતો હતો ત્યારે જેતપર ગામની જાકાસણીયા હાઈસ્કૂલ પાસે રોડ ઉપરના ખાડાના લીધે બાઈકને બ્રેક મારતા તેનું બાઇક સ્લીપ થઇ ગયું હતું જેથી ઇજાગ્રસ્ત હિતેષન સારવાર માટે મોરબી ખસેડાયો હતો.






Latest News