મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

વાહ રે આરોગ્ય તંત્ર : મોરબીના જસમતગઢ ગામે નવ માહિના પહેલાં મૃત્યુ પામેલ મહિલાને કોરોના વેક્સિન મુકાઇ !


SHARE







વાહ રે આરોગ્ય તંત્ર : મોરબીના જસમતગઢ ગામે નવ માહિના પહેલાં મૃત્યુ પામેલ મહિલાને કોરોના વેક્સિન મુકાઇ !

મોરબી જિલ્લાની અંદર હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેક્સિન મૂકવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે તેમાં અનેક વખત લોકોએ વેક્સિનનો ડોઝ લીધા ન હોય છતાં પણ વેક્સિનેશન થઈ ગયું હોવાના મેસેજ આવે છે જેથી લોકો પણ મૂંઝવણમાં મુકાઇ જાય છે કારણ કે તેઓને બીજો ડોઝ મળશે કે કેમ તે પ્રશ્ન ઊભો થાય છે તેવામાં આજથી લગભગ નવ મહિના પહેલાં મૃત્યુ પામેલ મહિલાને કોરોનાની વેક્સિન આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આપવામાં આવી છે જેથી કોરોના વેક્સિનની કામગીરી ઝડપથી અને ખૂબ સારી થાય છે તેવું બતાવવા માટે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મૃત વ્યક્તિઓને પણ વેક્સિનના સર્ટિ ઉશયુ કરવામાં આવી રહ્યા હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે

મોરબી જિલ્લામાં કોરોના સામે રક્ષણ આપતી કોરોના વેક્સિન મૂકવા માટેની કામગીરી સરકાર તરફથી રોજ ડોઝની ફાળવણી કરવામાં આવે તેના આધારે મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે અને અગાઉ જે લોકોએ કોરોના વેક્સિનનો એક ડોઝ લીધો હોય તે લોકોને કોરોના વેક્સિનનો બીજો ડોઝ ન લીધો હોવા છતાં પણ તે લોકોને વેક્સિનેશન થઇ ગયું હોય તે પ્રકારના મેસેજ આરોગ્ય વિભાગ દ્વારા મોકલવામાં આવ્યા છે જેથી કરીને આરોગ્ય વિભાગની કામગીરી સામે એક નહીં પણ અનેક વખત સવાલો ઉઠયા છે અને અગાઉ કેટલાક મૃત્યુ પામેલા વ્યક્તિઓને પણ કોરોના વેક્સિન મૂકી હોય તેવી માહિતી સામે આવી હતી.

આવી રીતે મોરબી તાલુકાના જસમતગઢ ગામે રહેતા રતિલાલ સાદરીયાના પત્ની હંસાબેન સાદરિયા (ઉંમર ૫૮) કે, જેઓ ગત તા. ૨૬/૪/૨૧ ના રોજ મૃત્યુ પામેલા છે અને તેનો તા. ૬/૫/૨૧ ના રોજ મૃત્યુનો દાખલો પણ ઈશ્યૂ કરી દેવામાં આવ્યો છે આ મૃતક મહિલાને મોરબીમાં કજારીયા સીરામીક ખાતે આવેલ વેક્સિનેશન સેન્ટરમાંથી તા. ૫/૨/૨૦૨૨ ના રોજ કોરોના વેક્સિનનો બીજો ડોઝ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આપવામાં આવ્યો છે તે પ્રકારનો મેસેજ હાલમાં રતિભાઈ સાદરિયાના મોબાઈલ ફોન ઉપર આવ્યો છે જેથી કરીને મોરબી જિલ્લાની અંદર કોરોના વેક્સિનની કામગીરી ખૂબ સારી રીતે ચાલી રહી છે આવું દેખાડવા માટે આરોગ્ય વિભાગ દ્વારા મૃતક વ્યક્તિઓના નામના કોરોના વેક્સિનના સર્ટિ ઇશ્યૂ કરવામાં આવતા હોય તેવો ઘાટ સર્જાયો છે અને આરોગ્ય વિભાગની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે આ મૃત વ્યક્તિને કઈ રીતે કોરોના વેક્સિન મુકવામાં આવી ?, તે બાબતની તપાસ કરવામાં આવે તો આ રીતે કેટલા લોકોને બોગસ વેક્સિનેશન કરવામાં આવ્યા છે મોરબી જિલ્લામાં તેની સંપૂર્ણ વિગત સામે આવે તેવી શક્યતા સેવાઇ રહી છે.






Latest News