મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં એક તરફી પ્રેમ પ્રકરણમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત


SHARE











મોરબીમાં એક તરફી પ્રેમ પ્રકરણમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

હાલ મોરબીના સામાકાંઠે ભડીયાદ ઢોરા નજીક રહેતા યુવાને ગળેફાંસો ખાઈ લેતા મૂળ જામનગરનાં કોળી યુવાનનું મોત નિપજયું હતુ.મૃતક યુવાન તેના રહેણાંક વિસ્તારમાં રહેતી કોઈ યુવતીને પ્રેમ કરતો હતો અને તેમાં લાગી આવવાથી યુવાને અંતિમ પગલું ભર્યું હોય તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મૂળ જામનગરનો અને હાલ મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર રામદેવપીરનો ઢોરો વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતો સંજય ધીરૂભાઈ વાઘવાણા જાતે કોળી નામના ૨૨ વર્ષીય અપરણીત યુવાને ગળેફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેનું મોત નિપજતા તેના મૃતદેહને પીએમ માટે સિવિલ ખસેડવામાં આવ્યો હતો.ત્યાંથી બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના એએસઆઇ આર.બી.વ્યાસે તપાસ શરૂ કરી હતી અને પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતો કે મૃતક સંજય કોળી મોરબીમાં જયાં રહેતો હતો તેના રહેણાક વિસ્તાર આસપાસ કોઈ યુવતીને એક તરફી પ્રેમ કરતો હતો અને તેને લઈને તેણે અંતિમ પગલું ભરી લીધું હોવાથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરેલ છે.

યુવાનનું મોત

મૂળ ઉત્તરપ્રદેશના દેવરિયાનો વતની અને હાલ મોરબીના બેલા ગામે આવેલ ખોખરા હનુમાન મંદિરની બાજુમાં આવેલ સિરામિક યુનિટમાં રહીને મજૂરી કામ કરતો રાજેન્દ્રયાદવ રેખાયાદવ યાદવ રઘુવંશી પોતાનો થૈલો લઈને પોતાના વતન ઉત્તરપ્રદેશના દેવરીયા જવા માટે નીકળ્યો હતો અને તે મોરબીની પંચાસર ચોકડી પાસે પહોંચ્યો હતો ત્યારે પંચાસર ચોકડી નજીકના હનુમાન મંદિર પાસે તે બાંકડા ઉપર સૂતો હતો અને તે મોડે સુધી ઉઠયો ન હોય આસપાસના લોકોએ એકત્ર થઇને ૧૦૮ માં જાણકારી આપતા ૧૦૮ દ્વારા તેને બેભાન હાલતમાં અહિંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને હાર્ટ એટેકને લીધે રાજેન્દ્રયાદવ રેખાયાદવ યાદવ જાતે રઘુવંશી (ઉમર ૪૧) નામના મૂળ દેવરિયા ઉત્તરપ્રદેશના મજૂર યુવાનનું મોત નીપજ્યું હોય બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી સીટી એ ડિવિજન પોલીસ મથકના હરેશભાઇ ચાવડાએ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.






Latest News