મોરબી મહાપાલિકા સંચાલિત લાઈબ્રેરીના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર
SHARE
મોરબી મહાપાલિકા સંચાલિત લાઈબ્રેરીના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિદ્યાર્થીઓ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો તેમજ વાંચનપ્રેમી નાગરિકોને વધુ સુવિધા મળી રહે તે હેતુથી મહાનગરપાલિકાની શ્રીમદ રાજચંદ્ર લાઈબ્રેરીના સમયગાળામાં ફેરફાર કરવામાં આવ્યો છે.
મોરબીમાં અગાઉ લાઈબ્રેરીનો સમય સવારે ૮ થી બપોરે ૧૨ સુધી અને સાંજે ૪ થી રાત્રે ૮ સુધી રાખવામાં આવ્યો હતો. જો કે, હવે વાચકોની જરૂરિયાત અને અનુકૂળતાને ધ્યાનમાં રાખીને લાઈબ્રેરીનો સુધારેલ સમય સવારે ૮ થી બપોરે ૧૨ સુધી તેમજ બપોરે ૩ થી સાંજે ૭ કલાક સુધી કરવામાં આવ્યો છે. આ સમય ફેરફારનો મુખ્ય હેતુ લાઈબ્રેરીનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓ અને નાગરિકોને તેમની અભ્યાસ તથા વાંચનની પ્રવૃત્તિ માટે વધુ અનુકૂળ સમય ઉપલબ્ધ કરાવવાનો છે. ખાસ કરીને બપોરના સમયગાળા બાદ લાઈબ્રેરીમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને સાંજના સત્રની શરૂઆત એક કલાક વહેલી કરવામાં આવી છે.