વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

ઉતમ સ્વસ્થ્ય માટે લાઈફ સ્ટાઇલમાં થોડો ચેન્જ અનિવાર્ય: મોરબીમાં યોજાયેલ આરોગ્ય કથામાં વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની ટકોર


SHARE











ઉતમ સ્વસ્થ્ય માટે લાઈફ સ્ટાઇલમાં થોડો ચેન્જ અનિવાર્ય: મોરબીમાં યોજાયેલ આરોગ્ય કથામાં વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની ટકોર

વર્તમાન સમયમાં લોકો આરોગ્ય પ્રત્યે જાગૃત થયા છે અને આયુર્વેદ તરફ પાછા વળી રહ્યા છે ત્યારે મોરબીમાં શનાળા ગામે આવેલ પટેલ સમાજવાડી ખાતે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આયુર્વેદ કથાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મોટી સંખ્યામાં આરોગ્યપ્રેમી લોકો આવ્યા હતા અને આરોગ્ય કથાનો લાભ લીધેલ હતો.

મોરબીના શનાળા ગામે આવેલ પટેલ સમાજવાડી ખાતે પ્રખ્યાત વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આયુર્વેદ કથાનું આયોજન કર્યું હતું જેમાં મોરબી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં આરોગ્યપ્રેમી લોકો આવ્યા હતા અને આરોગ્ય કથાનો લાભ લીધેલ હતો ત્યારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાએ આરોગ્ય કથામાં લોકોને કહ્યું હતું કે, જો દરેક વ્યક્તિ તેના જીવનમાં રૂટિન લાઈફ સ્ટાઇલમાં થોડો ચેન્જ કરે તો તેને ઉતમ સ્વસ્થ્ય મળી શકે છે. ખાસ કરીને ખાવા અને પીવાની બાબતમાં તેઓએ કહ્યું હતુ કે, ખોરાકને ચાવી ચાવીને ખાવો અને પાણીને નિરાંતે પીવામા આવે તો પણ લોકોને અનેક બીમારીમાંથી રાહત મળી શકે છે.

આટલું જ નહીં પરંતુ ઘણી વખત લોકોને ડોક્ટર દ્વારા ઓપરેશનનું કહેવામા આવે છે ત્યારે સીધું જ ઓપરેશન કરાવતા પહેલા જો એક વખત આયુર્વેદ નિષ્ણાંતની સલાહ લેવામાં આવે તો કદાચ દર્દીને ઓપરેશન વગર પણ સારું થઈ શકે છે. આટલું જ નહીં યોગ પ્રાણાયામ કરવામાં આવે અને નાની નાની બાબતોમાં જો કાળજી રખવામાં આવે તો ઋતુજન્ય રોગોમાંથી પણ લોકોને મુક્તિ મળી શકે છે જેથી તેના માટેની ટિપ્સ પણ તેઓ દ્વારા આપવામાં આવી હતી. ઉલેખનીય છે કે, આ કથામાં આવેલા તમામ લોકો આરોગ્ય પ્રત્યે એટલા જાગૃત હતા કે તેઓ પોતાના મોબાઈલ ફોન સાયલન્ટ કરીને કથામાં આવ્યા હતા અને કથામાં આવેલ લોકોને ગળો કટીંગનગોડ કટીંગબીલ્વફળ તથા ગરમાળાની શીંગ ફ્રીમાં આપવામાં આવી હતી તેમજ વૈદ્ય કોરડિયાભાઈ તરફથી મફત આંખમાં નાખવાના ટીપાં (નેત્ર બિંદુ) આપવામાં આવ્યા હતા.

સાથોસાથ કથા સ્થળ પાસે માટીની તાવડી, પાટીયા, કુંડાદેશી ઘાણીનુ કાળા તથા સફેદ ઓર્ગેનિક તલનું તેલ, કોપરેલ તેલ, મગફળીનું તેલઆયુર્વેદ પાવડર ચુર્ણહરડે બહેડા આમળા અરીઠા શિકાકાઈ ત્રિફળા ચૂર્ણસંચળ પાવડરસિંધાલૂણએલોવેરાલીમડોતુલસીકેસુડાના સાબુફુલ છોડના કલમી રોપા ૨૬ પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો, કેવડો, ગલગોટા, દેશી ખાતર, ઈન્ડોર આવુટડોર પ્લાન્ટઓર્ગેનિક મેથીદવા વગરના શાકભાજીફળદેશી ગીર ગાયનું ઘી-દૂધ બોટલમુખવાસ વગેરેનું વેચાણ માટેના સ્ટોલ પણ રાખવામા આવ્યા હતા. 






Latest News