મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીના યુવાનનું સાયલા નજીક માર્ગ અકસ્માતમાં કરૂણ મૃત્યુ


SHARE











મોરબીના યુવાનનું સાયલા નજીક માર્ગ અકસ્માતમાં કરૂણ મૃત્યુ

મોરબી જીલ્લાના માળીયા (મીં) તાલુકાના નાની બરાર ગામના રહેવાસી અશોકભાઈ પરબતભાઈ ચાવડા (ઉ.41) નામના યુવાનને સાયલા (સુરેન્દ્રનગર) પાસેના વડોદ ગામની પાસે માર્ગ અકસ્માતના બનાવમાં ગંભીર ઈજાઓ થયેલ હતી. ગત તા.2ના રોજ બનેલા અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત અશોકભાઈ ચાવડાને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. જોકે ટુંકી સારવાર દરમ્યાન અશોકભાઈનું મોત નિપજયુ હતું. જેથી મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા સ્ટાફના સતીષભાઈ બાલાસરા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.

મહિલા સારવારમાં

 સામાકાંઠે રામકૃષ્ણનગરમાં રહેતા જીગુબેન મનુભાઈ ડુંગરા (25)ને ઘરે પતિએ ધોકા વડે માર મારતા સારવાર માટે સિવિલે લઈ જવાયા હતા. જયારે પાડાપુલ નીચે નદીના પટમાં માથામાં પાઈપ મારવામા આવતા કરનભાઈ ભીમાભાઈ સોલંકી (27) રહે. ભીમસર વેજીટેબલ રોડને સારવાર માટે ખસેડાયો હતો. મોરબી-વાંકાનેર હાઈવે લાલપરની પાસે અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા માનસીબેન મુકેશભાઈ પરમાર (21) રહે. લાલપરને અત્રે આયુષ હોસ્પિટલે સારવારમાં લઈ જવાયા હતા.

દવા પી જતા
 ઘુંટુ રોડે સીરામીક યુનીટના લેબર કવાટરમાં રહીને મજુરીકામ કરતા સુનીલ રમેશભાઈ દેવધા (20) નામના યુવાને કોઈ કારણોસર દવા પી લેતા તેને સારવાર માટે લઈ જવાયો હતો. જયારે મોરબીથી બાઈકમાં જામનગર જતા સમયે જોડીયાના બીણાધર ગામે બાઈક-રીક્ષાનો અકસ્માત થતા શેરબાનુ ફારૂકભાઈ સિપાઈ (53) અને સુફીયાન એઝાઝભાઈ ચૌહાણ (05) રહે. રણછોડનગર શાંતિવન સ્કુલ પાસેને ઈજાઓ થતા બંનેને અહીંની ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.

પતિએ માર માર્યો
 મોરબી પખાલી શેરીમાં રહેતા પરીવારની મુશ્કાનબેન ફૈઝલભાઈ ઘોરી (25) નામની પરણીતાને રાજકોટ બજરંગવાડી પુનીતનગર શેરી નં.8માં રહેતા પતિએ માર મારેલ હોય અત્રેની સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે હળવદના મેરૂપર ગામે વાડી વિસ્તારમાં દવા પી જતા વેરસિંગ રાજુભાઈ રાઠવા નામના 18 વર્ષના યુવાનને હળવદ પ્રાથમીક સારવાર આપીને અત્રેની સીવીલે લાવવામાં આવ્યો હતો.

 હળવદના સિરાઈ ગામે ધનજીભાઈની વાડીએ રાત્રીના એકાદ વાગ્યે ઝેરી દવા પી ગયેલ આરતીબેન લાભુભાઈ પરમાર (ઉ.18)ને સારવાર માટે અત્રેની સીવીલે લાવવામાં આવી હતી. તેણીનો લગ્નગાળો 10 માસનો હોય પોલીસે બનાવની નોંધ કરી કારણ સંદર્ભે તપાસ કરી હતી.






Latest News