મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

અપમૃત્યુના બે બનાવ: મોરબી નજીક મશીનમાં હાથ આવી જવાથી ઇજા પામેલ યુવાનનું મોત, કંસારા શેરીમાં ઘરમાં પડી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત


SHARE











અપમૃત્યુના બે બનાવ: મોરબી નજીક મશીનમાં હાથ આવી જવાથી ઇજા પામેલ યુવાનનું મોત, કંસારા શેરીમાં ઘરમાં પડી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત

મોરબીના ભરતનગર ગામ પાસે કારખાનામાં કામગીરી દરમિયાન મશીનમાં હાથ આવી જવાથી હાથ અને માથામાં ઇજા પામેલ યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે મોરબીમાં ગ્રીન ચોક પાસે કંસારા શેરીમાં રહેતા વૃદ્ધ પોતે પોતાના ઘરની અંદર પડી ગયા હતા જેથી માથા અને શરીરે ઇજા થતાં ઇજાગ્રસ્ત હાલતમાં તેનેસારવાર માટે ખસેડાયા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું આ બંને બનાવની સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ જાંબુઆ સુંજાપુરના રહેવાસી સંજુભાઈ માવજીભાઈ ભુરીયા (24) નામનો યુવાન મોરબીના ભરતનગર ગામ પાસે આવેલ લેકમા પેનલ ઇન્ડસ્ટ્રીઝ એલએલપી ફેક્ટરીમાં કામ કરતો હતો ત્યારે મશીનમાં હાથ આવી જવાના કારણે હાથ અને માથાના ભાગે તેને ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર આપીને તેને રજા આપવામાં આવતા યુવાન તેના વતનમાં ગયો હતો. દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જે બનાવની મૃતક યુવાનના પિતા માવજીભાઈ શુક્લાભાઇ ભુરીયા (50) રહે. સુજાપુરા વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીમાં ગ્રીન ચોક પાસે આવેલ કંસારા શેરી સાંઈ વાળો ખાંચો ખાતે રહેતા અભેસિંગ કાનજીભાઈ સોઢા (60) નામના વૃદ્ધ કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરે હતા ત્યારે ત્યાં પડી ગયા હતા જેથી કરીને માથા અને શરીરે ઇજા થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે તેને રાજકોટની હોસ્પિટલ સુધી લઈ જવામાં આવેલ હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નિપજ્યું હતું જેથી કરીને આ બનાવ સંદર્ભે હાલમાં હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News