મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના યુવાનનું સાયલા નજીક માર્ગ અકસ્માતમાં કરૂણ મૃત્યુ


SHARE







મોરબીના યુવાનનું સાયલા નજીક માર્ગ અકસ્માતમાં કરૂણ મૃત્યુ

મોરબી જીલ્લાના માળીયા (મીં) તાલુકાના નાની બરાર ગામના રહેવાસી અશોકભાઈ પરબતભાઈ ચાવડા (ઉ.41) નામના યુવાનને સાયલા (સુરેન્દ્રનગર) પાસેના વડોદ ગામની પાસે માર્ગ અકસ્માતના બનાવમાં ગંભીર ઈજાઓ થયેલ હતી. ગત તા.2ના રોજ બનેલા અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત અશોકભાઈ ચાવડાને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. જોકે ટુંકી સારવાર દરમ્યાન અશોકભાઈનું મોત નિપજયુ હતું. જેથી મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા સ્ટાફના સતીષભાઈ બાલાસરા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.

મહિલા સારવારમાં

 સામાકાંઠે રામકૃષ્ણનગરમાં રહેતા જીગુબેન મનુભાઈ ડુંગરા (25)ને ઘરે પતિએ ધોકા વડે માર મારતા સારવાર માટે સિવિલે લઈ જવાયા હતા. જયારે પાડાપુલ નીચે નદીના પટમાં માથામાં પાઈપ મારવામા આવતા કરનભાઈ ભીમાભાઈ સોલંકી (27) રહે. ભીમસર વેજીટેબલ રોડને સારવાર માટે ખસેડાયો હતો. મોરબી-વાંકાનેર હાઈવે લાલપરની પાસે અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા માનસીબેન મુકેશભાઈ પરમાર (21) રહે. લાલપરને અત્રે આયુષ હોસ્પિટલે સારવારમાં લઈ જવાયા હતા.

દવા પી જતા
 ઘુંટુ રોડે સીરામીક યુનીટના લેબર કવાટરમાં રહીને મજુરીકામ કરતા સુનીલ રમેશભાઈ દેવધા (20) નામના યુવાને કોઈ કારણોસર દવા પી લેતા તેને સારવાર માટે લઈ જવાયો હતો. જયારે મોરબીથી બાઈકમાં જામનગર જતા સમયે જોડીયાના બીણાધર ગામે બાઈક-રીક્ષાનો અકસ્માત થતા શેરબાનુ ફારૂકભાઈ સિપાઈ (53) અને સુફીયાન એઝાઝભાઈ ચૌહાણ (05) રહે. રણછોડનગર શાંતિવન સ્કુલ પાસેને ઈજાઓ થતા બંનેને અહીંની ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.

પતિએ માર માર્યો
 મોરબી પખાલી શેરીમાં રહેતા પરીવારની મુશ્કાનબેન ફૈઝલભાઈ ઘોરી (25) નામની પરણીતાને રાજકોટ બજરંગવાડી પુનીતનગર શેરી નં.8માં રહેતા પતિએ માર મારેલ હોય અત્રેની સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે હળવદના મેરૂપર ગામે વાડી વિસ્તારમાં દવા પી જતા વેરસિંગ રાજુભાઈ રાઠવા નામના 18 વર્ષના યુવાનને હળવદ પ્રાથમીક સારવાર આપીને અત્રેની સીવીલે લાવવામાં આવ્યો હતો.

 હળવદના સિરાઈ ગામે ધનજીભાઈની વાડીએ રાત્રીના એકાદ વાગ્યે ઝેરી દવા પી ગયેલ આરતીબેન લાભુભાઈ પરમાર (ઉ.18)ને સારવાર માટે અત્રેની સીવીલે લાવવામાં આવી હતી. તેણીનો લગ્નગાળો 10 માસનો હોય પોલીસે બનાવની નોંધ કરી કારણ સંદર્ભે તપાસ કરી હતી.






Latest News