મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના યુવાનનું સાયલા નજીક માર્ગ અકસ્માતમાં કરૂણ મૃત્યુ


SHARE











મોરબીના યુવાનનું સાયલા નજીક માર્ગ અકસ્માતમાં કરૂણ મૃત્યુ

મોરબી જીલ્લાના માળીયા (મીં) તાલુકાના નાની બરાર ગામના રહેવાસી અશોકભાઈ પરબતભાઈ ચાવડા (ઉ.41) નામના યુવાનને સાયલા (સુરેન્દ્રનગર) પાસેના વડોદ ગામની પાસે માર્ગ અકસ્માતના બનાવમાં ગંભીર ઈજાઓ થયેલ હતી. ગત તા.2ના રોજ બનેલા અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત અશોકભાઈ ચાવડાને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. જોકે ટુંકી સારવાર દરમ્યાન અશોકભાઈનું મોત નિપજયુ હતું. જેથી મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા સ્ટાફના સતીષભાઈ બાલાસરા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.

મહિલા સારવારમાં

 સામાકાંઠે રામકૃષ્ણનગરમાં રહેતા જીગુબેન મનુભાઈ ડુંગરા (25)ને ઘરે પતિએ ધોકા વડે માર મારતા સારવાર માટે સિવિલે લઈ જવાયા હતા. જયારે પાડાપુલ નીચે નદીના પટમાં માથામાં પાઈપ મારવામા આવતા કરનભાઈ ભીમાભાઈ સોલંકી (27) રહે. ભીમસર વેજીટેબલ રોડને સારવાર માટે ખસેડાયો હતો. મોરબી-વાંકાનેર હાઈવે લાલપરની પાસે અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા માનસીબેન મુકેશભાઈ પરમાર (21) રહે. લાલપરને અત્રે આયુષ હોસ્પિટલે સારવારમાં લઈ જવાયા હતા.

દવા પી જતા
 ઘુંટુ રોડે સીરામીક યુનીટના લેબર કવાટરમાં રહીને મજુરીકામ કરતા સુનીલ રમેશભાઈ દેવધા (20) નામના યુવાને કોઈ કારણોસર દવા પી લેતા તેને સારવાર માટે લઈ જવાયો હતો. જયારે મોરબીથી બાઈકમાં જામનગર જતા સમયે જોડીયાના બીણાધર ગામે બાઈક-રીક્ષાનો અકસ્માત થતા શેરબાનુ ફારૂકભાઈ સિપાઈ (53) અને સુફીયાન એઝાઝભાઈ ચૌહાણ (05) રહે. રણછોડનગર શાંતિવન સ્કુલ પાસેને ઈજાઓ થતા બંનેને અહીંની ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.

પતિએ માર માર્યો
 મોરબી પખાલી શેરીમાં રહેતા પરીવારની મુશ્કાનબેન ફૈઝલભાઈ ઘોરી (25) નામની પરણીતાને રાજકોટ બજરંગવાડી પુનીતનગર શેરી નં.8માં રહેતા પતિએ માર મારેલ હોય અત્રેની સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે હળવદના મેરૂપર ગામે વાડી વિસ્તારમાં દવા પી જતા વેરસિંગ રાજુભાઈ રાઠવા નામના 18 વર્ષના યુવાનને હળવદ પ્રાથમીક સારવાર આપીને અત્રેની સીવીલે લાવવામાં આવ્યો હતો.

 હળવદના સિરાઈ ગામે ધનજીભાઈની વાડીએ રાત્રીના એકાદ વાગ્યે ઝેરી દવા પી ગયેલ આરતીબેન લાભુભાઈ પરમાર (ઉ.18)ને સારવાર માટે અત્રેની સીવીલે લાવવામાં આવી હતી. તેણીનો લગ્નગાળો 10 માસનો હોય પોલીસે બનાવની નોંધ કરી કારણ સંદર્ભે તપાસ કરી હતી.






Latest News