મોરબીના જેતપર ગામે ખેડૂતોના હક્ક માટે આમરણાંત આંદોલનનો આજે બીજો દિવસ: તંત્રની ઘોર બેદરકારી ! મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વીરાંગના રાણી લક્ષ્મીબાઈની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો મોરબી : બુઢા અમરનાથ સાહસિક યાત્રાનું આયોજન, જોડાવા અપીલ મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં વરલી જુગારની 4 રેડ ટંકારાના લજાઈ ગામ પાસે વાડીની ઓરડીમાં ઇલેક્ટ્રીક શોટ લગતા ત્રણ વર્ષના બાળકનું મોત વાંકાનેરના વીડી જાંબુડીયા નજીકથી 1.950 કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ: 1.22 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ગાળા ગામના પાટીયા પાસે કાર-ટ્રક વચ્ચે અકસ્માત થતાં દંપતી અને તેના બે સંતાનોને ઇજા મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ
Breaking news
Morbi Today

મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ


SHARE











મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ

મોરબી સુરજબાગમાં બગીચો બનાવવા માટેનું કામ ચાલી રહ્યું છે જો કે, ત્યાં બાલ ભવન બનાવવામાં આવે તેના માટે ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન પ્રમુખ દ્વારા મનપાના કમિશનરને રજૂઆત કરવામાં આવેલ છે.

ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન પ્રમુખ રામ મહેતાએ મનપાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં આશરે ત્રીસથી વધારે બાળકો માટે ડાન્સ કલાસીસ છે તેમજ સંગીત કલાસીસ છે અને શાસ્ત્રીય સંગીતના પણ વર્ગો નાટય સંસ્થા છે. મોરબી એક કલાની નગરી છે પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ માટે મોરબીમાં એક પણ બાલ ભવન નથી. આપના તરફથી પ્રજાની સુખાકારી માટે બાગ બગીચા, લાયબ્રેરી તથા અન્ય સ્થળોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે જે અંતર્ગત હાલે સુરજબાગમાં સરસ બગીચો બનાવવામાં આવી રહયો છે તે ખુશીની વાત છે. પરંતુ ત્યાં જગ્યા છે અને બાળકોના માનસિક તથા શારીરિક તેમજ સર્વાંગી વિકાસ માટે જો બાલ ભવન બનાવવામાં આવે તો સંગીત, નાટય, ડાન્સ, કરાટે તમામ પ્રવૃતિ એક સ્થળે એક સાથે થઈ શકે છે જેમ રાજકોટમાં બાલભવન છે તેમ અહીં પણ બનાવવામાં આવે તો વધારે સારૂ સાથોસાથ ટાઉન હોલ પણ ઝડપથી કાર્યરત થાય તો નાટય, સંગીત, ડાન્સના શો શરૂ થાય અને બહારથી સારા નાટકો આવે પ્રજાને સારા સાંસ્કૃતિક કાર્યક્રમો જોવા મળે તેમ છે જેથી કરીને આ બાબતને ધ્યાને લઈને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News