ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબી : રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે નોંધણીની મુદતને ૨૭ માર્ચ સુધી લંબાવાઇ


SHARE











મોરબી : રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે નોંધણીની મુદતને ૨૭ માર્ચ સુધી લંબાવાઇ

રાજ્યના ખેડૂતોને તેમના કૃષિ ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા ઉમદા હેતુથી ગુજરાત સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખરીદી પ્રક્રિયાને વધુ વ્યાપક બનાવવા અને મહત્તમ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે તે માટે ઓનલાઇન નોંધણીની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. હવે ઈચ્છુક ખેડૂતો આગામી તા. ૨૭/૦૩/૨૦૨૬ સુધી પોતાના ગ્રામ્ય સ્તરે નોંધણી કરાવી શકશે.

ભારત સરકાર દ્વારા ચાલુ સીઝન માટે ઘઉંનો લઘુત્તમ ટેકાનો ભાવ રૂ. ૨૫૮૫/- પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખરીદી કરવામાં આવશે. અગાઉ આ નોંધણી પ્રક્રિયા તા. ૦૧/૦૩/૨૦૨૬ ના રોજ પૂર્ણ થતી હતી, પરંતુ ખેડૂતોના હિતમાં મુદત વધારીને હવે તા. ૨૭/૦૩/૨૦૨૬ સુધી રાખવામાં આવી છે. ખેડૂત ખાતેદારોએ પોતાના ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પદ્ધતિથી નોંધણી કરાવવાની રહેશે. નોંધણી માટે ખેડૂતોએ આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો ૭/૧૨ અને ૮-અ તેમજ જો પાકની વાવણીની એન્ટ્રી ન થઈ હોય તો તલાટીનો સહી-સિક્કા વાળો દાખલો અને બેંક પાસબુક અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. નોંધણી કરાવેલ ખેડૂતોને ખરીદી અંગેની જાણ SMS મારફતે કરવામાં આવશે. ખરીદીના સમયે પણ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફરજિયાત રહેશે. ખોટા દસ્તાવેજો અપલોડ કરનાર અરજદારોની નોંધણી રદ કરવામાં આવશે. નોંધણી બાબતે કોઈ પણ મુશ્કેલી જણાય તો ખેડૂતો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ અથવા ૮૫૧૧૧૭૧૭૧૯ પર સંપર્ક કરી શકે છે તેમ મોરબી જિલ્લાની ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ.ના નાયબ જિલ્લા મેનેજરની યાદીમાં જણાવાયું છે.






Latest News