મોરબી કલેક્ટર કચેરી ખાતે કરાર આધારિત કાયદા સલાહકારની ભરતી કરાશે મોરબીમાં મહેન્દ્રનગર ગામે પ્રાથમિક શાળામાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ?
Breaking news
Morbi Today

અજરામર સંપ્રદાયના ગાદીપતિ આચાર્ય પરમ પૂજય ભાવચંદ્ર મુનિ મહારાજ સાહેબ મોરબી પધાર્યા


SHARE











અજરામર સંપ્રદાયના ગાદીપતિ આચાર્ય પરમ પૂજય ભાવચંદ્ર મુનિ મહારાજ સાહેબ મોરબી પધાર્યા

નવકારમંત્ર મહામંત્રના નવપદની સાધના સ્વરૂપ નવ દિવસીય આયંબિલ ઓખી પર્વની આરાધના કરાવવા શ્રી લીંબડી અજરામર સંપ્રદાયના પુ. ગચ્છાધિપતી આચાર્ય શ્રી ભાવચંદ્રજી સ્વામી આદિ ઠાણા ૧૬ નો શ્રી સ્થાનકવાસી જૈન સંઘ મોરબી સોનીબજારના આંગણે આજે ભવ્ય પ્રવેશ થયો હતો

તા. ૨૪ માર્ચથી શરુ થતા શાશ્વતી આયંબિલ ઓખી તપમાં મોરબીના પાંચેય સંઘના ભાવિકોને વધુને વધુ આહારસંજ્ઞાની સંયમરૂપ આ તપશ્ચર્યામાં જોડાઈને આત્મ ભાવ તાપ કરવા પ્રેરણા કરી હતી મોરબીમાં જૈન એકતાની ભાવનાને સુદ્રઢ કરવા છેલ્લા પાંચ વર્ષથી શ્રી સ્થાનકવાસી દેરાવાસી તમામ સંઘના ભાવિકોની એક સાથે સામુહિક આયંબિલ તપનું આયોજન થાય છે આ વરસની ચૈત્રી આયંબિલ ઓખીનો તમામ આર્થિક લાભ માતૃશ્રી નવલબેન તારાચંદ દોશી હ. શ્રીમતી તરૂબેન નવીનભાઈ દોશી (નેકનામ વાળા) એ લીધેલ છે

આજરોજ પુ. આચાર્ય ગુરુદેવની સ્વાગતયાત્રાનો પ્રારંભ સંઘના ટ્રસ્ટી અને ગુરુભક્તિશીલ ઉર્મિલાબેન મહેતાના બંગલેથી થયો હતો જેમાં મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓએ જૈન ધ્વજ અને કળશ સથે જયઘોષથી ગુરુદેવને વધાવ્યા હતા સંઘ પ્રમુખશ્રી નવીનભાઈ દોશીએ આવકાર આપ્યો હતો મોરબીના પાંચેય સંઘના અધિકારીઓ સહીત ૫૦૦ જેટલા શ્રાવક શ્રાવિકાઓ જોડાયા હતા કાર્યક્રમનું સંચાલન કેતનભાઈ મહેતાએ કર્યું હતું જૈન શાખાની બાળાઓએ સ્વાગત નૃત્ય અને મહિલા મંડળે સ્વાગત ગીત રજુ કર્યું હતું

આ પ્રસંગે પુ. શ્રીએ દરરોજ સવારે ૭ : ૩૦ વાગ્યે પ્રવર્ચનધરામાં અને રાત્રે ૯ વાગ્યે સત્સંગકથામાં પધારવા અનુરોધ કર્યો હતો શ્રી આરાધનાજી મ.સ.શ્રી તરણાજી મ.સ. તથા મૂર્તિપૂજક સંઘના પ્રમુખ શ્રીએ પ્રાસંગિક પ્રવર્ચન કર્યું હતું.શ્રી સંઘ તરફથી નવકારશી અને શેષકાળમાં સાધનિક ભક્તિનો લાભ લેનાર માતૃશ્રી પ્રફુલાબેન રમેશભાઈ દફતરી તથા ગીતાબેન ગુણવંતભાઈ સંઘવીનું બહુમાન કરાયું હતું સંઘના અધિકારીઓ સર્વશ્રી અશોકભાઈ, હસમુખભાઈ, યોગેશભાઈ વિગેરેએ ખુબ સારો સહયોગ આપ્યો હતો.






Latest News