ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને શહેર ભાજપની ટિફિન બેઠક યોજાઇ


SHARE











મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને શહેર ભાજપની ટિફિન બેઠક યોજાઇ

મોરબીના ધારાસભ્ય અને રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને મોરબી શહેર ભાજપ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ નિતીન નબીનની પ્રેરણા અને પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન મુજબ ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં મોરબી શહેર ભાજપ પરિવારના આગેવાનો, હોદેદારો તેમજ કાર્યકરો સહિતના હાજર રહ્યા હતા. અને “જેના અન્ન ભેગા એમના મન ભેગા” એ સૂત્રને લઈને ભાજપ દ્વારા આ ટિફિન બેઠકનું આયોજન કરેલ હતું આ ટિફિન બેઠકમાં આગામી મહાનગરપાલિકાની ચૂંટણીની રૂપરેખા અને આગામી દરેક વોર્ડ દીઠ ટિફિન બેઠક થાય તેની ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં મોરબી શહેર ભાજપના પ્રમુખ રિશિપભાઇ કૈલા, મહમંત્રી ભાવેશભાઈ કંઝારીયા, માજી પ્રમુખ લાખાભાઇ જારીયા, હસુભાઈ પંડ્યા, મેઘરાજસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા તેમજ મોરબી શહેરના તમામ હોદ્દેદારો, તમામ મોરચાના હોદ્દેદારો, તમામ જ્ઞાતિના હોદ્દેદારો,પૂર્વ કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખઓ, વોર્ડ પ્રભારીઓ, બુથ પ્રમુખઓ, તમામ શ્રેણીના કાર્યકર્તાઓ, કારોબારી સભ્યો  ટિફિન લને હાજરી આપી હતી.






Latest News