મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં એકલવાયા જીવનથી કંટાળીને એપાર્ટમેન્ટની અગાસી ઉપરથી નીચે ઝંપલાવીને મહિલાએ કર્યો આપઘાત


SHARE











મોરબીમાં એકલવાયા જીવનથી કંટાળીને એપાર્ટમેન્ટની અગાસી ઉપરથી નીચે ઝંપલાવીને મહિલાએ કર્યો આપઘાત

મોરબીના લીલાપર રોડ ઉપર વિદ્યુત સ્મશાનની સામેના ભાગમાં આવેલ ઓમકાર રેસીડેન્સી ખાતે રહેતી મહિલાએ એકલવાયા જીવનથી કંટાળીને એપાર્ટમેન્ટની અગાસી ઉપરથી નીચે ઝંપલાવ્યું હતું જેથી કરીને તે મહિલાનું મોતી નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ મધ્યપ્રદેશની રહેવાસી અને હાલમાં મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ વિદ્યુત સ્મશાનની સામેના ભાગમાં આવેલ ઓમકાર રેસીડેન્સી બ્લોક નંબર 201 માં રહેતી અંબિકા ઉર્ફે પ્રિયા ગુલાબરાય માંઝી (28) નામની મહિલાએ ઓમકાર રેસીડેન્સીની અગાસી ઉપરથી નીચે ઝંપલાવ્યું હતું જેથી કરીને મહિલાને શરીરે ગંભીર થવાના કારણે તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતક મહિલાના ભાઈ મંગલેશકુમાર ગુલાબરાય માંઝી (30) રહે. મૂળ મધ્ય પદેશ હાલ રહે. સુરત વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલા છેલ્લા પાંચેક વર્ષથી એકલી રહેતી હોય એકલવાયા જીવનથી કંટાળી જઈને તેણે ઓમકાર રેસીડેન્સીના ધાબા ઉપરથી નીચે ઝંપલાવીને આપઘાત કર્યો છે તેવી વિગત સામે આવી છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા

ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતા સવિતાબેન બાબુભાઈ ઉપસરીયા (67) તથા કિશન બાબુભાઈ ઉપસરીયા (25) નામના બે વ્યક્તિઓને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મારામારીમાં ઇજા

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા ખાતે રહેતા નરેશભાઈ દેવાભાઈ ઝાલા (40) નામના યુવાનને ટંકારા તાલુકાના હરબટીયાળી ગામ પાસે મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ઝેરી દવા પી લીધી

હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે જનકભાઈની વાડીએ સંગીતાબેન રાહુલભાઈ નાયકા (18) નામની મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

બાઇક સ્લીપ

વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતા શંકરભાઈ છગનભાઈ વસિયાણી (63) નામના વૃદ્ધ બાઈક લઈને ગામમાં આવેલ જીન પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈકની આડે ખુટિયો આવતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં ઇજા પામેલા વૃદ્ધને મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News