મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી
Breaking news
Morbi Today

મોરબીના સાપર ગામે સ્મૃતિ મંદિરમાં રાજર્ષિ મુનિજી ની મૂર્તિની પ્રતિષ્ઠા કરાઇ


SHARE











મોરબીના સાપર ગામે સ્મૃતિ મંદિરમાં રાજર્ષિ મુનિજી ની મૂર્તિની પ્રતિષ્ઠા કરાઇ

મોરબી તાલુકાનાં સાપર ગામે સ્મૃતિ મંદિરમાં રાજર્ષિ મુનિજી ની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને ત્યારે બે દિવાસીય જુદાજુદા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.  

દરમ્યાન પહેલા દિવસે સાપર ગામમાં ત્રિદેવ મંદિર અને રાજબાઇ માતાજીનો પાટઉત્સવ, નગરયાત્રા યોજાઇ હતી જે યાત્રા જેતપર, અણિયાળી, રાપર, વધારવા, પીલુડી, જસમતગઢ અને સાપરમાં ફેરવવામાં આવી હતી અને રાતે ભજન સંધ્યા રાખવામા આવી હતી અને બીજ દિવસે સ્મૃતિ મંદિરમાં રાજર્ષિ મુનિજી ની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તે દિવસે હવન, ધ્વજા પૂજા, મૂર્તિ સ્થાપના પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા, આ તકે સંતો મહંતો, શિષ્યો તેમજ મોટી સંખ્યામાં ગામના લોકો હાજર રહ્યા હતા તેમજ લકુલીશ દાદાની ગુરુ પરંપરાની જ્યોત જીવંત રાખવાનાં સાક્ષી બન્યાં હતાં આ આયોજનને સફળ બનાવવા માટે સમસ્ત સાપર ગામ અને આનંદા આચાર્ય (મનહરસિંહ જાડેજા) અને નિર્મળસિંહ (એડવોકેટ) સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.






Latest News