મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ગરમીનો પારો વધવાની શક્યતા: ‘લૂ’ થી બચવા અને તકેદારી રાખવા માર્ગદર્શિકા જાહેર કરાઇ


SHARE











મોરબી જિલ્લામાં ગરમીનો પારો વધવાની શક્યતા: લૂથી બચવા અને તકેદારી રાખવા માર્ગદર્શિકા જાહેર કરાઇ

આગામી દિવસોમાં મોરબી જિલ્લામાં પણ ગરમીનો પ્રકોપ અને હીટવેવની સંભાવના વધી છે. આ ગંભીર પરિસ્થિતિમાં નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાને રાખીને લૂથી બચવા અને જરૂરી સાવચેતી રાખવા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા માર્ગદર્શિકા બહાર પાડી ખાસ અપીલ કરવામાં આવી છે.

 ગરમીના કારણે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટવું (ડીહાઈડ્રેશન), અસહ્ય માથાનો દુખાવો, ચક્કર આવવા, ઉબકા કે આંખે અંધારા આવવા જેવા લક્ષણો લૂ’ (હીટ સ્ટ્રોક) ની નિશાની હોઈ શકે છે. આથી, જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા નાગરિકોને બચાવના ઉપાયો તરીકે શક્ય હોય ત્યાં સુધી બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવા, આખું શરીર ઢંકાય તેવા સફેદ સુતરાઉ કપડાં પહેરવા તેમજ ટોપી, ચશ્માં કે છત્રીનો ઉપયોગ કરવા જણાવાયું છે. દિવસ દરમિયાન સતત પાણી, લીંબુ શરબત, છાશ કે ઓ.આર.એસ. (ORS) નું સેવન કરી શરીરને હાઈડ્રેટેડ રાખવું અત્યંત જરૂરી છે.

વધુમાં, ખાન-પાનમાં વિશેષ સાવધાની રાખતા બજારમાં મળતો ખુલ્લો કે વાસી ખોરાક ટાળવો અને ભૂખ્યા પેટે બહાર ન નીકળવું હિતાવહ છે. ચા, કોફી અને વ્યસનથી દૂર રહી તાજા ફળોના રસનું સેવન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને નાના બાળકો, સગર્ભા માતાઓ અને વૃદ્ધોએ ગરમીમાં વિશેષ કાળજી લેવી. કોઈ પણ શારીરિક અસ્વસ્થતા જણાય તો વિલંબ કર્યા વિના નજીકના આયુષ્માન આરોગ્ય મંદિર કે સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવા મોરબી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે.શ્રીવાસ્તવ દ્વારા આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયુ છે.






Latest News