હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ


SHARE











મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ

મોરબીમાં ક્રાંતિકારી વિચારોને વરેલા અને સામાજિક, સેવાકીય, શેક્ષણિક પ્રવૃત્તિઓથી દેશભાવનાને ઉજાગર કરતા યંગ ઇન્ડિયા ગ્રુપે આ રંગોત્સવની મુઠી ઉંચેરી ઉજવણી કરવાની પરંપરાને ખરા અર્થમાં નિભાવી છે. યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વિકાસ વિદ્યાલયના બાળકો અને વૃદ્ધાશ્રમના વડીલો સાથે રંગોત્સવ મનાવી આ વડીલોને બેરંગી જિંદગીને કલરફુલ બનાવી દીધી હતી.આ રીતે યંગ ઇન્ડિયા ગ્રુપે રંગોત્સવની ઉજવણી કરી અંતરના ઊંડાણથી રંગોથી પ્રેમ, સદભાવના સાથે માનવતા સર્વોપરી હોવાનું સિદ્ધ વકરી ઈશ્વર સમાન વડીલોની થતી અવહેલના સામે તેમનો આદર સત્કાર કરવાનો સંદેશ જનજન સુધી પહોંચાડ્યો છે.યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા અને ખાસ તો ખુશીઓથી વંચિત બાળકોને કલર, પિચકારી, ખજૂર અને મીઠાઈના બોક્સ આપીને તેમને રંગોત્સવની ખુશીમાં જોડવામાં આવ્યા હતા.વિકાસ વિદ્યાલયની તમામ બાળાઓ સાથે પણ રંગોત્સવની ખુશી વહેંચી હતી.રંગોત્સવની ઉજવણીમાં વૃદ્ધાશ્રમના વડીલો સાથે પણ હોળીના રંગો રમવામાં આવ્યા હતા. જીવનના સાંજના પડાવે ઘણીવાર એકાંત અનુભવનારા વડીલો જ્યારે યુવાનો સાથે હાસ્ય અને રંગોની વચ્ચે જોડાયા ત્યારે તેમના ચહેરા પર પ્રસન્નતાનો અજોડ તેજ જોવા મળ્યો હતો.યંગ ઇન્ડિયા ગ્રુપના ડૉ.દેવેન રબારીએ જણાવ્યું હતું કે રંગોત્સવ માત્ર રંગ ઉડાડવાનો તહેવાર નથી, પરંતુ જીવનમાં રહેલા કામ, ક્રોધ, લાલચ અને દ્વેષ જેવા દુર્ગુણોને દૂર કરીને પ્રેમ, મૈત્રી, સમરસતા અને સદગુણોના રંગોથી જીવનને રંગવાનો સંદેશ આપે છે.






Latest News