હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ


SHARE













મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ

મોરબીમાં ક્રાંતિકારી વિચારોને વરેલા અને સામાજિક, સેવાકીય, શેક્ષણિક પ્રવૃત્તિઓથી દેશભાવનાને ઉજાગર કરતા યંગ ઇન્ડિયા ગ્રુપે આ રંગોત્સવની મુઠી ઉંચેરી ઉજવણી કરવાની પરંપરાને ખરા અર્થમાં નિભાવી છે. યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વિકાસ વિદ્યાલયના બાળકો અને વૃદ્ધાશ્રમના વડીલો સાથે રંગોત્સવ મનાવી આ વડીલોને બેરંગી જિંદગીને કલરફુલ બનાવી દીધી હતી.આ રીતે યંગ ઇન્ડિયા ગ્રુપે રંગોત્સવની ઉજવણી કરી અંતરના ઊંડાણથી રંગોથી પ્રેમ, સદભાવના સાથે માનવતા સર્વોપરી હોવાનું સિદ્ધ વકરી ઈશ્વર સમાન વડીલોની થતી અવહેલના સામે તેમનો આદર સત્કાર કરવાનો સંદેશ જનજન સુધી પહોંચાડ્યો છે.યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા અને ખાસ તો ખુશીઓથી વંચિત બાળકોને કલર, પિચકારી, ખજૂર અને મીઠાઈના બોક્સ આપીને તેમને રંગોત્સવની ખુશીમાં જોડવામાં આવ્યા હતા.વિકાસ વિદ્યાલયની તમામ બાળાઓ સાથે પણ રંગોત્સવની ખુશી વહેંચી હતી.રંગોત્સવની ઉજવણીમાં વૃદ્ધાશ્રમના વડીલો સાથે પણ હોળીના રંગો રમવામાં આવ્યા હતા. જીવનના સાંજના પડાવે ઘણીવાર એકાંત અનુભવનારા વડીલો જ્યારે યુવાનો સાથે હાસ્ય અને રંગોની વચ્ચે જોડાયા ત્યારે તેમના ચહેરા પર પ્રસન્નતાનો અજોડ તેજ જોવા મળ્યો હતો.યંગ ઇન્ડિયા ગ્રુપના ડૉ.દેવેન રબારીએ જણાવ્યું હતું કે રંગોત્સવ માત્ર રંગ ઉડાડવાનો તહેવાર નથી, પરંતુ જીવનમાં રહેલા કામ, ક્રોધ, લાલચ અને દ્વેષ જેવા દુર્ગુણોને દૂર કરીને પ્રેમ, મૈત્રી, સમરસતા અને સદગુણોના રંગોથી જીવનને રંગવાનો સંદેશ આપે છે.






Latest News