ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

ટંકારાના નાના ખીજડીયા ગામે શીતલ પાર્કમાં મંદિરમાંથી ૧૫ હજારના મુદામાલની ચોરી


SHARE











ટંકારાના નાના ખીજડીયા ગામે શીતલ પાર્કમાં મંદિરમાંથી ૧૫ હજારના મુદામાલની ચોરી

ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે શીતલ પાર્ક સોસાયટીમાં આવેલ મંદિરમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને મંદિરના તાળા તોડીને મંદિરમાં પ્રવેશ કરીને મંદિરમાં મુકવામાં આવેલ દાન પેટીનું ઢાંકણું તોડી તસ્કર દ્વારા આશરે ૧૫,૦૦૦ ની રોકડની ચોરી કરવામાં આવેલ છે.જે બનાવની હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા તસ્કર સામે મંદીરમાં ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવેલ છે.

બનાવની જાણવા મળતી વિગત મુજબ ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે રહેતા નરશીભાઈ અવચરભાઈ બારૈયા (ઉમર ૬૪) એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા તસ્કર સામે ફરિયાદ નોંધવી જણાવ્યું હતુ કે, નાના ખીજડીયા ગામે શીતલપાર્ક સોસાયટીમાં બારૈયા પરીવારના સુરાપુરાના મંદિરમાં તસ્કરે ધામા નાખ્યા હતા અને મંદિરના દરવાજાના તાળા તોડીને મંદિરમાં અપપ્રવેશ કર્યા બાદ મંદિરમાં મુકવામાં આવેલ દાન પેટીનું ઢાંકણું તોડી નાખ્યું હતું અને દાનપેટીમાંથી અંદાજે ૧૨ થી ૧૫ હજાર રૂપિયાની ચોરી કરવામાં આવે છે જેથી કરીને હાલમાં ટંકારા પોલીસે નરશીભાઈ બારૈયાની ફરિયાદ લઈને તેના આધારે ચોરને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે ત્રાજપર વિસ્તારમાં રહેતા જલારામ રૂપસિંહ કુંવરિયા નામનો ૨૫ વર્ષનો યુવાન તા.૧૪ ના સાંજે ૭:૩૦ વાગ્યે ઘરેથી કામે જતો હતો ત્યારે જુના ઘુંટુ રોડ ઉપર શ્રીનાથ કાંઠા પાસે તેના બાઈકની આડે કુતરૂ ઉતરતા બાઇક સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં ઇજાઓ થતાં જલારામ કુંવરિયાને સારવારમાં આયુષ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.જ્યારે ટંકારા તાલુકાના વીરપર ગામે આવેલ શુભલક્ષ્મી પેકેજીંગના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતી પુનમબેન જલાલજી પરમાર નામની વર્ષીય મહિલાને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં સારવારમાં આયુષમાં ખસેડવામાં આવ્યા હતા પૂનમબેનને અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લીધા હોવાનો પોલીસ સૂત્રો તરફથી જાણવા મળે છે.






Latest News