મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી
Breaking news
Morbi Today

વાંકાનેરના નવાપરામાં કરોડરજ્જૂના દુખાવાની પીડામાં સગીરાએ કર્યો આપઘાત


SHARE











વાંકાનેરના નવાપરામાં કરોડરજ્જૂના દુખાવાની પીડામાં સગીરાએ કર્યો આપઘાત

વાંકાનેર નવાપરા પંચાસર રોડ ઉપર રહેતી સોળ વર્ષની સગીરાએ ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવ અંગે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર શહેરમાં નવાપરા પંચાસર રોડ ઉપર રહેતા રાજેશભાઈ ડાભીની ૧૬ વર્ષની દીકરી ભૂમિબેને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તપાસ કરતા હેડ કોન્સ્ટેબલ પી.એચ. બોરાણાની સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મૃતક ભૂમિબેનના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે લગભગ દોઢેક વર્ષ પહેલા ભૂમિબેનને કરોડરજ્જૂનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને હાલમાં તેના દુખાવાની પીડાના કારણે તેણે આ અંતિમ પગલું ભર્યું હોય તેવું લાગી રહ્યું છે

ઝેરી અસર

ટંકારા તાલુકાના ખાનપર ગામની સીમમાં વસતાભાઈ બારૈયાની વાડીરહેતા અને મજૂરી કામ કરતા ઠાકોરભાઈ નવલસિંહ ડામોરના પત્ની સારંગાબેન (ઉંમર ૨૨) ભૂલથી દવાવાળા ગ્લાસની અંદર પાણી ભરીને પાણી પી ગયા હતા જેથી તેઓને ઝેરી અસર થઇ હતી અને ઊલટીઓ થતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે પરિણીતાનો લગ્નગાળો અઢી વર્ષનો છે અને તેને સંતાનમાં એક દીકરો છે અને તેઓ સાસુ, સસરા સાથે રહે છે






Latest News