ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની આઈટીઆઈમાં ખાલી રહેતી બેઠકો પર સાતમા તબક્કાની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ


SHARE











મોરબી જિલ્લાની આઈટીઆઈમાં ખાલી રહેતી બેઠકો પર સાતમા તબક્કાની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

મોરબી જીલ્લાની સરકારી આઈટીઆઈમાં મોરબીમાળીયા-મિયાણાહળવદટંકારાતથા વાંકાનેર ખાતે ચાલતા વિવિધ પ્રકારના એન.સી.વી.ટી, જી.સી.સી.ટી પેટર્નના કોર્ષ-વ્યવસાયોમાં પ્રવેસશત્ર ઓગસ્ટ-૨૧ માં જૂજ બેઠકો ખાલી રહેલ છે જેમાં પ્રવેશ મેળવવા માટે સાતમા રાઉન્ડ માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે. ઓનલાઇન ભરેલા ફોર્મ આઈટીઆઈ ખાતે રજીસ્ટર કરવાની છેલ્લી તા.૩૧-૧૨ છે.

પ્રવેશવાંચ્છું ઉમેદવાર ઈન્ટરનેટના માધ્યમથી https://itiadmission.gujarat.gov.in વેબ સાઈટ પરથી  અથવા ઉક્ત સંસ્થાઓ પૈકી નજીકની કોઇ પણ સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે રૂ.૨૦ ભરીને ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી શકશે. ઓનલાઈન પ્રવેશફોર્મ ભર્યા બાદ તેની પ્રિન્ટઆઉટ કાઢી તેમાં લાયકાતના અસલ પ્રમાણપત્રો તથા સ્વપ્રમાણીત પ્રમાણપત્રોની નકલો સાથે લાવવાની રહેશે.આઈટીઆઈમાં પ્રવેશ માટે તા.૩૧-૧૨ સુધી સવારે ૧૦ થી સાંજે ૫ કલાક સુધી પ્રવેશ કાર્યવાહી તથા માર્ગદર્શન મળશે. તેમજ વધુ માહિતી માટે મોબાઈલ નંબર ૯૬૦૧૧૦૦૬૩૮ અથવા ૯૭૧૨૧૫૭૪૧૭ ઉપર સંપર્ક કરવો.ઉમેદવારે ધો.૮ થી ૧૦ ની માર્કશીટ, પ્રયત્નનો દાખલો, શાળા છોડ્યાનુ પ્રમાણપત્રજાતીનુ પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય), આધારકાર્ડ, પાસપોર્ટ સાઈઝ ફોટો, બેંક પાસબૂક પેલા પાનાની ઝેરોક્ષ, આવકનો દાખલો, બી.પી.એલ (જો લાગુ પડતું હોય) જરૂરી પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ સાથે લાવવાના રહેશે તેમ આચાર્ય ઔધોગિક તાલીમ સંસ્થા મોરબીની યાદીમાં જણાવ્યું છે.






Latest News