મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના આગેવાન દ્વારા ગુજરાતમાં એસ.ટી.ડેપો મેનેજરોની બદલી કરવાની માંગ


SHARE











મોરબીના આગેવાન દ્વારા ગુજરાતમાં એસ.ટી.ડેપો મેનેજરોની બદલી કરવાની માંગ

ગુજરાતમાં એસ.ટી.ડેપો મેનેજરની બદલીઓ છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવી નથી જેથી કરીને મેનેજરોની બદલી કરવા માટે અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના પી.પી.જોશી દ્વારા ગુજરાત એસટી વિભાગના મેનેજિંગ ડિરેક્ટરને રજૂઆત કરવામાં આવી છે

હાલમાં ગુજરાત એસ.ટી.મા ડેપો મેનેજરની ઘણા સમય થયા બદલીઓ થયેલ નથી. તેમજ તેઓ એક જ જગ્યાએ ચીટકીને બેઠા છે. જેથી મુસાફર જનતાના કામ સમય સર થતા નથી અને ઘણા ડેપો મેનેજરો ૧૦૦ કીલોમીટરની આસપાસ અપડાઉન કરે છે અને મુસાફર જનતાને સમયસર મળતા નથી. જેથી કોઇ ફરીયાદોનો નિકાલ થતો નથી અને એસ.ટી નિગમને આર્થિક રીતે ઘણુ જ નુકશાન થાય છે જેથી ત્રણ વર્ષથી ઉપરના સમયથી જે અધિકારીની સરકારી નિયમ મુજબ બદલીઓ કરવાની થાય છે તે તાત્કાલિક કરવામાં આવે તેવી માંગ કરેલ છે તેઓએ જણાવ્યુ છે કે, મુસાફર અને નિગમના હિતને ધ્યાને રાખીને બદલી કરવામાં આવે તે જરૂરી છે કેમ કે, રાત્રી દરમ્યાન કોઇ અધિકારીઓ હાજર હોતા નથી અને જે તે સમયે કોઇ અકસ્માત કે બ્રેક ડાઉનનો બનાવ બને ત્યારે મુસાફર જનતા આખી રાત્રી રોડ ઉપર વિતાવે છે માટે જવાબદાર અધિકારી ડેપો ઉપર હાજર રહે તે જરૂરી છે. તેમજ ઘણા વિભાગીય નિયામક હાલ ચાર્જમા છે ત્યા પણ નિમણુંક કરવી જરુરી છે કારણ કે ચાર્જમા રહેલા અધિકારીઓ નિતિ વિષયક નિર્ણય લઇ શકતા નથી. જેને કારણે નિગમને આવક ઓછી થાય અને મુસાફર જનતાને પુરો લાભ મળતો નથી જેથી આ બાબતે યોગ્ય કાર્યવાહી સમયસર કરવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News