મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે આવેલ હાઉસિંગ બોર્ડની ગરબીમાં બાળાઓએ રજૂ કર્યો સળગતી ઇંઢોણીનો રાસ


SHARE











મોરબીના શનાળા રોડે આવેલ હાઉસિંગ બોર્ડની ગરબીમાં બાળાઓએ રજૂ કર્યો સળગતી ઇંઢોણીનો રાસ

મોરબીના શનાળા રોડે આવેલ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડની ગરબીમાં બાળાઓ દ્વારા જુદાજુદા રાસ ગરબા રજૂ કરવામાં આવે છે તેવામાં આ ગરબીની બાળાઓ દ્વારા આંગારા રાસ બાદ સળગતી ઇંઢોણી સાથેનો રાસ રજૂ કર્યો હતો. જે જોઈને સહુ કોઈ મંત્ર મુગ્ધ થઈ ગયા હતા.

મોરબીના શનાળા રોડે આવેલ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં વર્ષ 1993થી ગરબી કરવામાં આવે છે અને ત્યાર રહતા પરિવારની દીકરીઓ આ ગરબીમાં ભાગ લેતી હોય છે અને નવરાત્રિ દરમ્યાન જુદાજુદા રાસ લોકોની સમક્ષ રજૂ કરતી હોય છે. આ ગરબીના આયોજકોને કહેવા મુજબ લોકો આજે ભલે મોર્ડન અને હાઈટેક બની ગયા હોય પરંતુ આ ગરબીમાં આજની તારીખે પણ ફિલ્મી ગીતો રજૂ કરવામાં આવતા નથી અને મંત્ર પરંપરાગત રીતે માતાજીના ગુણગાન ગાવામાં આવે છે. આ ગરબીમાં પાંચ વર્ષથી લઈને 22 વર્ષ સુધીની દિકરીઓ ભાગ લેતી હોય છે અને એક મહિના સુધી જુદાજુદા રાસની પ્રેક્ટિસ કરીને લોકોની સમક્ષ નવરાત્રિ દરમ્યાન તે રાસ રજૂ કરવામાં આવે છે. વર્ષે ગરબીમાં 191 થી વધુ બાળાઓભાગ લીધેલ છે. આ ગરબીમાં તલવાર રાસ, મોગલ માં નો રાસ, સાઢણી રાસમ અંગારા રાસ વિગેરે જેવા અનેક રાસ રજૂ કરવામાં આવે છે. તેની સાથો સાથ આ ગરબીની બાળાઓનો સળગતી ઈઢોંણીનો રાસ પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર હોય છે. આ ઉપરાંત ચાચર ચોકમાં જે રાસ રજૂ કરવામાં આવતા હોય છે ત્યારે ઉંટ અને ઘોડા જેવા રિયલ અભિનય પણ તેમાં સામેલ કરવામાં આવે છે. અને નવરાત્રિ પૂર્ણ થતા દરેક દિકરીને આયોજકો દ્રારા દાતાઓના સહકારથી લ્હાણીનું વિતરણ કરવામાં આવે છે.  અને આ ગરબીના આયોજનને સફળ બનાવવા માટે 40થી વધુ કાર્યકર્તાઓની ટીમ જહેમત ઉઠાવે છે.  






Latest News