મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં કામ ધંધો મળતો ન હોય કંટાળી ગયેલા યુવાને ન કરવાનું કરી નાખ્યું


SHARE











મોરબીમાં કામ ધંધો મળતો ન હોકંટાળી ગયેલા યુવાને ન કરવાનું કરી નાખ્યું

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સોરીસો સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા યુવાને કામ ધંધો મળતો ન હોવાથી કંટાળી જઈને કોલોનીની બારી સાથે સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ ઓડિશાના રહેવાસી અને હાલમાં મોરબીના લધીરપુર રોડ ઉપર આવેલ સોરીસો સીરામીક કારખાનાની લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો મુચીરામ સાગરમ સોરેન (34) નામના યુવાને લેબર કોલોનીમાં રૂમની બારી સાથે દોરડું બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને આ બનાવની કલેમ્બર સમયા મુરમુ (26) રહે. હાલ સોરીસો કારખાનાની લેબર કોલોનીમાં મોરબી મૂળ રહે. ઓડિશા વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવાનને કામ ધંધો મળતો ન હોય તે કંટાળી ગયો હતો જેથી પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જે અંગેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારમાર્યો

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ખાનગી સ્કૂલ પાસે પાર્થ મનસુખભાઈ નેસડિયા અને દલસુખ અર્જુનભાઈ વિડજા નામના બે વ્યક્તિને અજાણ્યા શખ્સે લાકડી વડે મારમાર્યો હોવાથી ઇજા થઈ હતી જેથી તે બંને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

ફિનાઇલ પી લીધું

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા મેહુલ ભરતભાઈ સરાડીયા (28) નામના યુવાને કોઇ કરણસર પોતે પોતાની જાતે ફીનાઇલ પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News