મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

ટંકારાના ચકચારી પત્નીના આપઘાતમાં સાસુ સસરાનો જામીન પર છુટકારો


SHARE











ટંકારાના ચકચારી પત્નીના આપઘાતમાં સાસુ સસરાનો જામીન પર છુટકારો

ટંકારાના ચકચારી પત્નીના આપઘાતમાં સાસુ સસરાનો જામીન પર છુટકારો થયેલ છે.ગઈ તા.૧૮-૫-૨૫ ના રોજ ફરીયાદીએ ટંકારા પોલીસ સ્ટેશને એવી ફરીયાદ આપી હતી કે તેની દિકરી કિંજલને લગ્ન બાદ તેમના જમાઈને વિદેશમાં ભણવા જવા માટે રૂપિયા પાંચ લાખની જરૂર હોય અને તે રૂપિયા ફરીયાદીની દિકરી કિંજલ પાસે માંગતા અને ફરીયાદીની આર્થીક સ્થિતી નબળી હોવાથી ફરીયાદી નહી આપતા ફરીયાદીના જમાઈ શુભમ તથા તેમના માતા પિતાને સારૂ નહીં લાગતા જેથી આ બાબતે ફરીયાદીની દિકરીને કરીયાવર બાબતે તેમજ રૂપિયા બાબતે અવાર નવાર મેણા ટોણા મારી માનસીક દુ:ખ ત્રાસ આપતા જે ફરીયાદીની દિકરીથી સહન ન થતા તેમજ તેને મરવા મજબુર કરતા ફરીયાદીની દિકરી પોતાની જાતે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધેલ છે.

અને આરોપી શુભમ હીરાલાલ પનારા, હિરાલાલ કરશનભાઈ પનારા, રીનલબેન હીરાલાલ પનારા સામે ફરીયાદ દાખલ કરેલ હતી.જેથી ફરીયાદના આધારે તમામ આરોપીની ટંકારા પોલીસ દ્વારા અટક કરેલ ત્યારબાદ આરોપી સસરા હીરાલાલ તેમજ સાસુ રીનલબેનઓ દ્વારા તેમના વકીલ જે.આર.જાડેજા દ્વારા કોર્ટમાં જામીન અરજી કરવામાં આવેલ જેથી આરોપીના વકીલની દલીલો સાંભળી નામદાર સેસન્સ કોર્ટ દ્વારા સાસુ રીનલબેનના જામીન અરજી મંજુર કરતા આરોપી સાસુ જામીન ઉપર મુકત થયેલ અને સસરા હીરાલાલ દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરતા જામીન પર મુકત થયેલ છે.આ કામે આરોપી સાસુ રીનલબેનના વકીલ તરીકે મોરબીના જીતેન્દ્રસિંહ આર.જાડેજા (જીતુભા) રોકાયેલ હતા.






Latest News