મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટે ચેક રીટર્નના કેસમાં કરેલ સજા-દંડ અપીલ કોર્ટે યથાવત રાખ્યો


SHARE







મોરબીની કોર્ટે ચેક રીટર્નના કેસમાં કરેલ સજા-દંડ અપીલ કોર્ટે યથાવત રાખ્યો

મોરબીની કોર્ટમાં ચેક રીટર્નનો કેસ ચાલી ગયેલ હતી જેમાં આરોપીને 1 વર્ષની સાદી કેદની સજા અને રૂપીયા 8 લાખનો દંડ તથા તે દંડની રકમમાથી ફરીયાદીને રૂપીયા 7,23,250 વળતર ચૂકવવાનો હુકમ કોર્ટે કર્યો હતો જેની સામે સામે વાળાએ મોરબીની ડીસ્ટ્રીક્ટ કોર્ટના પ્રીન્સિપલ ડીસ્ટ્રીક્ટ જજ ડી.પી. મહીડા સાહેબની કોર્ટમાં અપીલ કરી હતી જે અપીલમાં કોર્ટે નીચેની કોર્ટે આપેલ હુકમને કાયમ રાખીને આરોપીને જેલ હવાલે કરેલ છે.

આ કેસની વિગત મુજબ ફરીયાદી નાનક ઇન્ફ્રાસ્ટ્રકચરના ભાગીદાર મયુર ગુણવંતભાઈ નાનકે આરોપી ભરતકુમાર ધિરૂભાઈ ભાવસાર રહે. -204, બાબુભાઈ ચેમ્બર, આથવા ગેટ, સુરત વાળા સામે મોરબીના ત્રીજા એડી.ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ જે.વી. બુધ્ધ સાહેબની કોર્ટમાં ફોજદારી કેસ નંબર-4465/2020 થી ચેક રિટર્નનો કેસ કર્યો હતો જેમાં ફરીયાદીના એડવોકેટ જી.ડી.વરીયાની ધારદાર દલીલ અને નેગોશીએબલના કાયદાની જોગવાઈઓના આધારે તા. 29/03/2024 ના રોજ ત્રીજા એડી.ચીફ જ્યુડી.મેજીસ્ટ્રેટ જે.વી.બુધ્ધ સાહેબે આરોપી ભરતકુમાર ધિરુભાઈ ભાવસારને તકસીરવાન ઠરાવી 1 વર્ષની સાદી કેદની સજા અને રૂપીયા 8 લાખનો દંડ તથા તે દંડની રકમમાથી ફરિયાદીને રૂપીયા 7,23,250 વળતર ચૂકવવા હુકમ કરલે હતો જેથી આરોપીએ મોરબીની ડીસ્ટ્રીક્ટ કોર્ટના પ્રીન્સિપલ ડીસ્ટ્રીક્ટ જજ ડી.પી.મહીડા સાહેબની કોર્ટમાં ફોજદારી અપીલ નંબર-18/24 થી અપીલ દાખલ કરેલ હતી જે અપીલ કોર્ટમાં ચાલી જતાં ફરીયાદીના વકીલ જી.ડી.વરીયાની ધારદાર દલીલ અને નેગોશીએબલના કાયદાની જોગવાઇઓના આધારે આરોપી ભરતકુમાર ધિરૂભાઈ ભાવસારની અપીલ નામંજૂર કરીને નીચેની કોર્ટે આરોપીને આપેલ સજા ફટકારતો હુકમ કાયમ રાખીને આરોપી ભરતકુમાર ધિરૂભાઈ ભાવસારને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો આ કેસમાં ફરીયાદી તરફે વકીલ તરીકે ગૌતમ ડી. વરીયા રોકાયેલ હતા.






Latest News