મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટે ચેક રીટર્નના કેસમાં કરેલ સજા-દંડ અપીલ કોર્ટે યથાવત રાખ્યો


SHARE











મોરબીની કોર્ટે ચેક રીટર્નના કેસમાં કરેલ સજા-દંડ અપીલ કોર્ટે યથાવત રાખ્યો

મોરબીની કોર્ટમાં ચેક રીટર્નનો કેસ ચાલી ગયેલ હતી જેમાં આરોપીને 1 વર્ષની સાદી કેદની સજા અને રૂપીયા 8 લાખનો દંડ તથા તે દંડની રકમમાથી ફરીયાદીને રૂપીયા 7,23,250 વળતર ચૂકવવાનો હુકમ કોર્ટે કર્યો હતો જેની સામે સામે વાળાએ મોરબીની ડીસ્ટ્રીક્ટ કોર્ટના પ્રીન્સિપલ ડીસ્ટ્રીક્ટ જજ ડી.પી. મહીડા સાહેબની કોર્ટમાં અપીલ કરી હતી જે અપીલમાં કોર્ટે નીચેની કોર્ટે આપેલ હુકમને કાયમ રાખીને આરોપીને જેલ હવાલે કરેલ છે.

આ કેસની વિગત મુજબ ફરીયાદી નાનક ઇન્ફ્રાસ્ટ્રકચરના ભાગીદાર મયુર ગુણવંતભાઈ નાનકે આરોપી ભરતકુમાર ધિરૂભાઈ ભાવસાર રહે. -204, બાબુભાઈ ચેમ્બર, આથવા ગેટ, સુરત વાળા સામે મોરબીના ત્રીજા એડી.ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ જે.વી. બુધ્ધ સાહેબની કોર્ટમાં ફોજદારી કેસ નંબર-4465/2020 થી ચેક રિટર્નનો કેસ કર્યો હતો જેમાં ફરીયાદીના એડવોકેટ જી.ડી.વરીયાની ધારદાર દલીલ અને નેગોશીએબલના કાયદાની જોગવાઈઓના આધારે તા. 29/03/2024 ના રોજ ત્રીજા એડી.ચીફ જ્યુડી.મેજીસ્ટ્રેટ જે.વી.બુધ્ધ સાહેબે આરોપી ભરતકુમાર ધિરુભાઈ ભાવસારને તકસીરવાન ઠરાવી 1 વર્ષની સાદી કેદની સજા અને રૂપીયા 8 લાખનો દંડ તથા તે દંડની રકમમાથી ફરિયાદીને રૂપીયા 7,23,250 વળતર ચૂકવવા હુકમ કરલે હતો જેથી આરોપીએ મોરબીની ડીસ્ટ્રીક્ટ કોર્ટના પ્રીન્સિપલ ડીસ્ટ્રીક્ટ જજ ડી.પી.મહીડા સાહેબની કોર્ટમાં ફોજદારી અપીલ નંબર-18/24 થી અપીલ દાખલ કરેલ હતી જે અપીલ કોર્ટમાં ચાલી જતાં ફરીયાદીના વકીલ જી.ડી.વરીયાની ધારદાર દલીલ અને નેગોશીએબલના કાયદાની જોગવાઇઓના આધારે આરોપી ભરતકુમાર ધિરૂભાઈ ભાવસારની અપીલ નામંજૂર કરીને નીચેની કોર્ટે આરોપીને આપેલ સજા ફટકારતો હુકમ કાયમ રાખીને આરોપી ભરતકુમાર ધિરૂભાઈ ભાવસારને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો આ કેસમાં ફરીયાદી તરફે વકીલ તરીકે ગૌતમ ડી. વરીયા રોકાયેલ હતા.






Latest News