મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં કામની ગુણવતા જોવા મુખ્યમંત્રીને જુદાજુદા માર્ગોની મુલાકાત લેવા કોંગ્રેસનું આમંત્રણ


SHARE











મોરબીમાં કામની ગુણવતા જોવા મુખ્યમંત્રીને જુદાજુદા માર્ગોની મુલાકાત લેવા કોંગ્રેસનું આમંત્રણ

મોરબીમાં કેટલાક રસ્તાની હાલત દાયનીય છે ત્યારે મોરબી શહેરમાં આવી રહેલા મુખ્યમંત્રી તે રસ્તાની મુલાકત લે તે જરૂરી છે જેથી કરીને મોરબી જિલ્લા અને શહેર કોંગ્રેસનાં પ્રમુખ દ્વારા વાવડી રોડ, પંચાસર રોડ, રવાપર રોડ અને રેલ્વે સ્ટેશનથી વી.સી. ફાટક સુધીના રોડની મુલાકાત લેવામાં આવે તેવી માંગ કરેલ છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબીમાં આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા અને મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મોરબીના દયનીય રસ્તાની મુલાકાત લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં જણાવ્યુ છે કે, સરકાર રોડ-રસ્તાની ગુણવતા અને ઝીરો ટોલરન્સથી ભષ્ટાચાર નાબુદીની વાત કરી રહી છે તેવા સમયે આગામી તા. ૨૬ માર્ચના રોજ મુખ્યમંત્રી મોરબી આવી રહ્યા છે ત્યારે મોરબીમાં વાવડી રોડ અને રેલ્વે સ્ટેશનથી વી.સી. ફાટક સુધીના રોડની મુલાકાત લેવામાં આવે તે જરૂરી છે કેમ કે, રેલ્વે સ્ટેશનથી વી.સી. ફાટક સુધીનો રોડ બાવીસ વર્ષ પહેલા બનેલ છે તો પણ તે રોડમાં આજની તારીખે કાંકરી નીકળી નથી અને વાવડી રોડ આશરે આઠ કરોડના ખર્ચે વર્ષ ૨૦૨૦ માં શરૂ થયો હતો અને બે વર્ષે પણ તેનું કામ પૂરું કરવામાં આવ્યું નથી અને ત્યાં ઉપયોગમાં લેવામાં આવેલ મટિરિયલ્સ બાબતે અગાઉ રજૂઆતો પણ કરવામાં આવી હતી જો કે, કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને તાજેતરમાં બનેલ રવાપર અને પંચાસર રોડની હાલત પણ કંઈક આવી જ છે. ત્યારે આ રોડની મુલાકાત લેવામાં આવે તો મોરબીમાં કેવા કામ થાય છે અને કેટલો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તેની પોલ ખૂલે તેમ છે.






Latest News