મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો


SHARE











આજરોજ મોરબી જિલ્લામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 'લખપતિ દીદી' કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા મોરબી-માળીયા, ઉપપ્રમુખશ્રી જીલ્લા પંચાયત હીરાભાઈ ટમારીયા, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત લખપતિ દીદી કાર્યક્રમમાં વિવિધ સખી મંડળોને લોન સહાય આપવામાં આવી હતી. 

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લખપતિ દીદીઓએ પણ ભાગ લીધો હતો. જિલ્લા કક્ષા, તાલુકા કક્ષા તેમજ ક્લસ્ટર કક્ષાએ કાર્યક્રમમાં ૫૩ સખી મંડળોને કુલ રૂપિયા ૭૮.૦૦ લાખની રકમની સી.સી. લોન મંજુર કરવામાં આવ્યા હતા. ઉપરાંત ૨૦ સખી મંડળોને ૬.૦૦ લાખ રૂપિયાના ચેક રીવોલ્વીંગ ફંડ તરીકે તથા ૩૦ સખી મંડળોને સી.આઈ.એફ. તરીકે ૪૫.૦૦ લાખ રૂપિયાના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. આમ કુલ ૧૦૩ સખી મંડળોને કુલ રકમ રૂપિયા ૧૨૯.૦૦ લાખની સહાય આપવામાં આવી તેમજ કુલ ૨૦ લખપતી દીદીને “લખપતી દીદી સટીઁફીકેટ” એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો જોડાયા હતા.






Latest News